Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ITનું મેગા ઓપરેશન: બેનામી ટ્રાન્જેક્શનની માહિતીના આધારે 27 જગ્યાએ ટીમો ત્રાટકી

ગુજરાતમાં ITનું મેગા ઓપરેશન: બેનામી ટ્રાન્જેક્શનની માહિતીના આધારે 27 જગ્યાએ ટીમો ત્રાટકી
Webdunia
શનિવાર, 18 મે 2024 (13:23 IST)
ગુજરાતમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા અને અમદાવાદમાં ખુરાના ગ્રૂપ સાથે સંકળાયેલા લોકોની કેટલીક માહિતી ઇન્કમટેક્સને મળી હતી. જે માહિતીમાં કેટલાક ટ્રાન્જેક્શન અને બેનામી મિલકત વિશેની વિગતો ઇન્કમટેક્સને મળી હતી.

આથી ઇન્કમટેક્સ વિભાગે એકસાથે 27 જગ્યાએ રેડ કરીને આજે સર્ચ શરૂ કર્યું છે. હાલ એવી પણ વિગત સામે આવી રહી છે કે, થોડા સમય પહેલા કેટલાક નાણાકીય વ્યવહારની વિગતો ઇન્કમટેક્સ વિભાગને મળી હતી અને તે દિશામાં પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ કંપનીના સંચાલકો અને તેમના સ્વજન પાસેથી મહત્વની વિગત અને પેપર અંગે તપાસ કરવામાં આવી રહી હોવાની વિગત પણ સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાતમાં લાંબા સમય બાદ શનિવારે ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે અમદાવાદ અને વડોદરામાં ખુરાના ગ્રૂપ અને માધવ કન્સ્ટ્રકશન ઉપર ઇન્કમટેક્સની ટીમ પહોંચી છે. એકસાથે ઓફિસ અને ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. થોડા સમય પહેલા થયેલા ટ્રાન્જેક્શનની માહિતીના આધારે ઇન્કમટેક્સ વિભાગે આજે અમદાવાદ અને વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરાના ખુરાના ગ્રૂપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં માધવ કન્સ્ટ્રક્શનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશિષ ખુરાનાને ત્યાં પણ ઇન્કમટેક્સનું સર્ચ ચાલી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સર્ચ બાદ મહત્વના ડોક્યુમેન્ટ અને ટ્રાન્જેક્શનની વિગત બહાર આવે તેવી શક્યતા છે. તેમજ ઘર અને ઓફિસ પર એકસાથે રેડ થતા આગામી સમયમાં ઇન્કમટેક્સ બેંક લોકર અને અન્ય જગ્યાએ પણ તપાસ હાથ ધરશે તેવું જાણવા મળી રહ્યું છે. વડોદરામાં માધવ ગ્રૂપની સુભાનપુરામાં આવેલી સેન્ટ્રલ ઓફિસ પર તપાસ હાથ ધરવામાં આવી છે. આ કંપની બાંધકામ અને સોલાર પેનલનું કામ કરે છે. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર મળે તેવી શક્યતા છે. વહેલી સવારથી આઇટીના અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments