Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખાદી પર લગાવવામાં આવેલા 5થી12 ટકા જીએસટીનો રાજકોટમા વિરોધ કરાયો

Webdunia
ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (17:35 IST)
ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા જીએસટી બાદ અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેને લઈને આજે રાજકોટમાં ખાદી પર લાગેલા 5થી 12 ટકા જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો. જીએસટીના વિરોધમાં  રાજકોટમાં પાંચ જેટલી સંસ્થાઓ દ્વારા જયુબેલી ચોકથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી. આ રેલીમાં જીએસટી હટાવો, ખાડી બચાવોના નારા લાગ્યા હતા.રાજકોટ ખાતે ગ્રામોદ્યોગ મંત્રી વલ્લભભાઈએ કહ્યું હતું કે સરકારને ગાંધીની ખાદી પરથી જીએસટી હટાવવા માટે માગણી કરવામાં આવી હતી, આ સાથે જ કલેકટર મારફત સરકારને રજૂઆત કરવામાં આવી હતી. ખાદીની ચીજવસ્તુ પર GST નાબૂદ કરવાની માગ સાથે રાજકોટ કલેકટરને આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી. આ આવેદનપત્ર સૌરાષ્ટ્ર રચનાત્મક કમિટીએ આપ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments