Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકડાઉન લંબાવાયુ: એપ્રિલનુ વેતન ચૂકવવવાનુ રહેશે, નહીતર થશે જેલ

Webdunia
શુક્રવાર, 17 એપ્રિલ 2020 (11:13 IST)
સરકારે નિર્ણય કર્યો છે કે  ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 34 હેઠળનુ જાહેરનામુ લંબાવવામાં આવશે અને  શ્રમિકોને એપ્રિલ માસની ચૂકવણીને  પણ આ જાહેરનામામાં આવરી લેવામાં આવશે. લૉકડાઉન તા. 3 મે સુધી લંબાઈ જતાં હવે આ જાહેરનામુ ફેકટરીઝ એકટ હેઠળ નોંધવામાં આવેલી તથા અન્ય ફેકટરીઓને પણ લાગુ પડશે. 
 
આ ઉપરાંત આ જાહેરનામુ ગુમાસ્તા ધારા (શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ) તથા ઘરકામ કરતા નોકરોને પણ લાગુ પડશે. આ જાહેરનામુ કોન્ટ્રાકટ પરના કામદારોની સાથે સાથે  ઔપચારિક અથવા અનૌપચારિક ક્ષેત્રના તમામ કામદારોને પણ લાગુ પડશે. જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તો તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ  એક વર્ષની સજા અથવા તો  દંડ અથવા તો તે દંડ અને સજા બંનેને પાત્ર બની શકે છે.
 
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા જણાવે છે કે “કામદારોને સમયસર વેતન ચૂકવાય તે માટે આ કદમ ભરવામાં આવ્યું છે. વડાપ્રધાને તેમના રાષ્ટ્રને સંબોધનમાં  ઉલ્લેખ કર્યો હતો તે મુજબ, રાષ્ટ્ર એ કર્મચારીઓના મુદ્દે સંવેદનશીલ બનવાની જરૂર છે અને કોઈને નોકરીમાંથી કાઢી મુકી શકાશે નહી.”  વિપુલ મિત્રાએ વધુમાં જણાવ્યું હતું કે ગઈ કાલે વિડીયો કોન્ફરન્સ મારફતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં માન. મુખ્ય પ્રધાને પણ આ બાબતે ઉલ્લેખ કર્યો હતો,  આ મુજબ તેમણે તમામ કલેકટરને આ જાહેરનામુ લંબાવવા માટે સૂચના આપી છે.  
 
તે ઉપરાંત વેતનની ચૂકવણીનો અમલ થાય તે માટે  હેલ્પલાઈનને પણ સક્રિય બનાવવા માટે નિર્દેશ આપ્યો છે. “અત્યાર સુધીમાં ઔપચારિક ક્ષેત્રના માલિકોએ કામદારોને રૂ. 1458 કરોડ વેતન ચૂકવી દીધુ છે. “પ્રતિભાવ સારો છે. અને વેપાર અને ઉદ્યોગે સમજ તેમજ હકારાત્મક ભાવના દર્શાવી છે અને સરકાર તેની કદર કરે છે'

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments