Webdunia - Bharat's app for daily news and videos

Install App

27 માર્ચથી ફરી એક વાર ફ્લાઈટ્સ સેવાઓની શરુઆત

Webdunia
મંગળવાર, 8 માર્ચ 2022 (18:55 IST)
DGCA order on international flights: વિદેશ પ્રવાસ કરનારાઓ માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે 27 માર્ચ 2022થી ફરી એક વાર નિયમિત રીતે નિર્ધારિત કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓની શરુઆત કરવામાં આવશે, જે હેઠળ દેશની ફ્લાઈટ્સ અન્ય રાષ્ટોમાં જઈ શકશે અને અન્ય રાષ્ટ્રોની ફ્લાઈટ્સ ઈન્ડિયામાં આવી શકશે. શેડ્યૂલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સનું સસ્પેન્શન સમાપ્ત થવા જઇ રહ્યું છે. એવિએશન રેગ્યુલેટરી ડીજીસીએએ જણાવ્યું કે, ભારતમાં આવતી અને જતી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર સેવાઓ 27 માર્ચથી ફરી શરૂ થશે. આ માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. આ પહેલા 19 જાન્યુઆરીએ આ ફ્લાઈટ્સનું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યું હતું.
 
નોંધનીય છે કે, દેશમાં કોરોનાને કારણે શેડ્યૂલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સને 23 માર્ચ, 2020ના રોજ સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ પછી જુલાઈ 2020થી ભારત અને લગભગ 45 દેશોની વચ્ચે એર બબલ વ્યવસ્થા હેઠળ વિશેષ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે 
 
ભારત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બહેરીન, બાંગ્લાદેશ, ભૂતાન, કેનેડા, ઇથોપિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇરાક, જાપાન, કઝાકિસ્તાન, કેન્યા, કુવૈત, માલદીવ્સ, મોરેશિયસ, નેપાળ, નેધરલેન્ડ્સ, નાઇજિરિયા, ઓમાન, કતાર, રશિયા, રવાન્ડા, સાઉદી અરેબિયા, સેશેલ્સ, સિંગાપોર, શ્રીલંકા, સ્વિટ્ઝર્લેન્ડ, તાન્ઝાનિયા, યુક્રેન, યુનાઇટેડ આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ કિંગડમ અને ઉઝબેકિસ્તાન સાથે હવાઈ પરિવહન ધરાવે છે.ભારત સરકારે અગાઉ 15 ડિસેમ્બરથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવાની યોજના બનાવી હતી. પરંતુ ઓમિક્રોનના કારણે આ યોજના રદ કરવામાં આવી હતી જેના કારણે સરકારે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments