Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત બજેટમાં મોટી જાહેરાત

Webdunia
શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2024 (11:38 IST)
kanubhai desai


- ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ 3,32,465 કરોડનું
- કનુભાઈએ જણાવ્યું હતું કે, અમારા માટે સરકાર માટે સુશાસન એટલે રામરાજ્ય
- રાજ્યમાં નવી 2500 બસ શરૂ કરવામાં આવશે
 
ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું અંદાજપત્ર રજૂ કરી રહ્યા છે. જેમા તેમણે આજે અનેક મોટી જાહેરાતો કરી છે. ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ 3,32,465 કરોડનું છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે, કનુભાઈએ જણાવ્યું હતું કે, અમારા માટે સરકાર માટે સુશાસન એટલે રામરાજ્ય, રાજ્યમાં નવી 2500 બસ શરૂ કરવામાં આવશે
 
નમો લક્ષ્મી યોજના
ગુજરાત મિશનની જાહેરાત કરી રહ્યા છીએ, જેમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓ કેન્દ્રસ્થાને છે. આમાં નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. બાળકો અને મહિલાઓ માટેનું માળખું વધુ સુદ્રઢ કરવામાં આવશે. નમો લક્ષ્મી યોજના અમલીકરણ કરવામાં આવશે. જેમાં 50 કરોડની જોગવાઈ છે.
 
નમો સરસ્વતી યોજના હેઠળ માધ્યમિક શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધો. 11માં 10 હજારની સહાય આપવામાં આવશે.
 
1300 કરોડની નિર્મલ ગુજરાત સ્વચ્છતા યોજનાની જાહેરાત
5 વર્ષની સાયન્સ સ્ટ્રીમમાં 2 લાખથી વધી 5 લાખ સંખ્યા વધશે
મિશન સ્કૂલ એક્સલેન્સ હેઠળ સરકારી સ્કૂલો સ્માર્ટ બનાવવામાં આવશે
 
- મધ્યાહન ભોજનની ગુણવતા વધશે
 
નમો સરસ્વતી યોજનાની જાહેરાત
માધ્યમિક શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધો. 11માં 10 હજારની સહાય આપવામાં આવશે.
 
- અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ 38.2 કિમી થશે
અમદાવાદ રિવરફ્રન્ટનો વિસ્તાર કરાશે. ઈન્દિરા બ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરી કુલ લંબાઈ 38.2 કિ.મી. થતાં તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટ તરીકે થશે.
 
- 1800 કરોડની સ્માર્ટ આંગણવાડી બનાવાશે
કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 1800 કરોડના ખર્ચે સ્માર્ટ આંગણવાડીઓ બનાવવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments