Dharma Sangrah

Karwa chauth Sringar - દરેક સુહાગન સ્ત્રીને કરવા જોઈએ આ 16 શણગાર

Webdunia
બુધવાર, 25 ઑક્ટોબર 2023 (11:00 IST)
પતિની લાંબી ઉમર માટે કરવા ચોથના દિવસે મહિલાઓ વ્રત ઉપવાસ રાખે છે.  પતિનો  પ્રેમ મેળવવા માટે તે ત્રીજના દિવસે  તમારી મદદ કરશે સુહાગના આ 16 શણગાર વિશે  જરૂર જાણો... 
 
1. માંગ ટીકા- માંગ ટીકા જ્યા સુધી માંગ પર ન સજાય ત્યા સુધી દુલ્હન પણ દુલ્હન ન લાગે- જી હા માંગ ટીકા તમારા મુખમંડળની શોભાને વધારી નાખે છે કે દરેકની નજર તમારા પર જ ટકી જાય છે. આજકાલ બજારમાં એક થી એક ચઢિયાતા દરેક ડિઝાઈનમાં માંગ ટીકા મળી જાય છે.  જેમાં કુંદન, સ્ટોન , મોતી ફૂલોથી બનેલા માંગ ટીકા પ્રમુખ છે. તમે ઈચ્છો તો રાજ્સ્થાની રખડી પણ જોઈ શકો છો. 
 
2. ચાંદલો- ચાંદલા વગર સુહાગન નો  શ્રૃંગાર અધૂરો જ લાગે છે તમે કેટલી પણ આધુનિક હોય પણ કરવા ચોથના દિવસે પિયાના નામનો ચાંદલો  જરૂર લગાડો. વિશ્વાસ કરો  માથાના આ ચાંદલો તમારી સુંદરતાને નિખારવામાં કોઈ કમી નહી મુકે અને એ પતિના પાસે હોવાનો આભાસ કરાવશે. 
 
3. સિંદૂર- માંગમાં સિંદૂર વગર સુહાગનના બધા શ્રૃંગાર વ્યર્થ છે. તમે એમની સુહાગન  છો આ વાતનું પ્રતીક છે તમારી માંગનું  સિંદૂર તમારા પિયાના સૌભાગ્ય રૂપમાં ધરતી પર થનારનો સંદેશ છે તમારું સિંદૂર. કરવાચોથના દિવસે  ખૂબ ખાસ હશે.  પારંપારિક  દુલ્હન બનવાની ઈચ્છા હોય તો તમે એને તમારી માંગમાં પિયાની લાંબી વયની જેટલી લાંબી ભરી શકો છો. આ જોઈને તેમને તમારા પ્રત્યે  ફરીથી પ્રેમ થઈ જશે. 
 
4. કાજલ- કજરારા નૈનાના જાદૂ જ્યારે પિયા પર ચાલી જાય, ફરીથી મોહબ્બતથી કોન રોકી શકાય. તો કરવા કરવાચૌથ પર કજરારા નૈનાથી પ્રેમનો જાદૂ વિખેરવા ન ભૂલશો. 
 
5. નથની- નથની જેને નથ પણ કહેવાય છે તમારા ચેહરાની રોનકને વધારવામાં ખૂબ ખાસ ભૂમિકા ભજવશે. માંગ ટીકા અને નથની મળીને તમારા ચેહરાની રોનકને આટલું વધારી નાખશે કે તમારા એ " તમારા પર થી ઈચ્છે તોય પણ નજર હટાવી ન શકે. તો પછી નથનીથી દુલ્હનની રીતે તમારા ચેહરાની રોનક વધારવું ન ભૂલવું. 
 
6. કર્ણફૂલ- આજના સમયેમાં એને ઈયરિંગ્સ કહેવાય છે. એના માટે તમે ચાહો તો પારંપરિક ઝુમકા પહેરી શકો છો. આ સિવાય સેટ સાથે કે પછી પરિધાનથી મેળ ખાતા કર્ન ફૂલ તમારી ખૂબસૂરતીને ચાર ચાંદ લગાવી શકશે. 
 
7. હાર- ગળાના શ્રૃંગાર માટે તમે તમારા પારંપરિક હાર પહેરી શકો છો. આ સિવાય રાની હાર, મોતી અને કુંદન જડિત હારના સેટ પણ બજારમાં ઉપલબ્ધ છે જે તમારા ગળાની શોભા વધારી શકે છે. 
 
8. ગજરા- કાળા , ઘણા અને લાંબા વાળ નારીની સુંદરતાને ઘણા ગણુ વધારી નાખે છે. અને એમાં ગજરાની સજાવટ થઈ જાય તો પછી શું કહેવું. દરેક કોઈને દિલ જીતવા માટે કાળા વાળ પર સફેદ ગજરો વધું છે. તમે એને જૂડા બનાવી, ચોટલી કે પછી ખુલા પણ રાખી શકો છો. 
 
9. મંગળસૂત્ર- પિયાના નામનો મંગળસૂત્ર સોળ શ્ર ૃંગારના સૌથી મુખ્ય ભાગ છે. આ મંગળસૂત્ર છે તો નારી માટે સાજ શ્રૃંગાર છે. આની વગર તો કાઈ નથી. તમે તમારા લગ્નનો કે કોઈ બીજું મંગળસૂત્ર પહેરી શકો છો. 
 
10 મેહંદી- જ્યારે સુધી મેહંદી પર પિયાના નામની મેહંદી ન લાગે ત્યારે સુધી દુલ્હનનો રંગ ફીકો જ રહે છે. અને મેહંદીનો રંગ જેટલું ઘટ્ટ હોય , છે એટલું વધારે પ્રેમને દર્શાવે છે. તો કરવાચૌથ પર દિલથી લગાડો પિયાના નામની મેહંદી અને નિખારો એમનું રંગ. મેહંદીના ઘટ્ટ રંગ માતે લવિંગનો ધુમાડો, ચાનો પાણી તેલ વગેરેનો પણ પ્રયોગ કરી શકો છો. તો તમે પણ અજમાવો આ રીતને. રંગત ભરી મેહંદી. 
 
11. બંગડીઓ- હાથમાં બંગડીઓની ખનક, ન માત્ર પતિ પત્નીના પ્રેમની તરફ સંકેત આપે છે. પણ મનને પ્રફુલ્લિત પણ કરે છે. તમારા પિયાને પણ બંગડીઓની ખંનક પસંદ હશે. 
 
12 વીંટી- કલાઈની શોભા બંગળી અને કંગનથી પૂરી હોય છે એમજ આંગળીઓના શ્રૃંગાર વીંટીથી જ પૂરો હોય છે. તમે ઈચ્છો તો દુલ્હન વાળા હાથફૂળ પણ પહેરી શકો છો. 
 
13. કમરબંદ- સેકસી કમર અને કમરની ખૂબસૂરતી જોવાવા માટે તને કમરબંદ પહેરીને કયામત કરી શકો છો. 
14. પાયલ- પાતળી પાયલ હોય કે મોટી પાયલ તમારા પગની ખૂબસૂરતીને જ નહી વધારતી પણ એના ઘૂંઘરૂઓની મીઠી છનકથી પતિદેવનો દિલ પણ ધડકાવી શકો છો. 
 
15. વિછિયા- બિછિયા પણ સુહાગન સ્ત્રીનો પ્રતીક છે. કઈ પણ કહો એના વગર સુહાગનના પગની રોનક જ ગાયબ થાય છે. કરવા ચૌથ પર સાદગીથી ભરેલી વિછીયા પહેરવાની જગ્યા ઘૂંઘરૂ અને ચેનવાળા સુંદર વિછિયા પહેરો. 
 
16. પરિધાન- ખાસ કરીને સાડી ,લહંગા કે કોઈ પારંપરિક પરિધાન તમારા કરવા ચૌથને ખાસ બનાવવાનું કામ કરશે. તમે તમારા લગ્નના ડ્રેસ પહેરીને યાદો તાજા પણ કરી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, ન્યુઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

ગર્લ્સ હોસ્ટેલના ACમાં જોરદાર વિસ્ફોટ, રૂમમાંથી 6 છોકરીઓ બેભાન હાલતમાં મળી

સોનું અને ચાંદીનો રોકેટ વધારો! 7 દિવસમાં સોનાનો રેકોર્ડ ઉંચો ભાવ 16,480 નો થયો, ચાંદી 3.40 લાખને પાર.

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

વધુ જુઓ..

ધર્મ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments