Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપની નિરીક્ષકોને વિધાનસભા પ્રવાસે મોકલવાની રણનીતિ, ચોક્કસ વ્યૂહરચના સાથે ઉમેદવારોની પસંદગી થશે

Webdunia
શુક્રવાર, 21 ઑક્ટોબર 2022 (15:39 IST)
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ત્રિપાંખીયો જંગ જામી ગયો છે. તેવામાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ભાજપ હવે નિરીક્ષકોને મેદાનમાં ઉતારી રહી છે. એક બાજુ આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી એકપછી એક જાહેર કરતી રહે છે, ત્યારે બીજી બાજુ ભાજપ વિચારણા કરીને ચોક્કસ વ્યૂહરચના સાથે ઉમેદવારોની પસંદગી આગળ વધારી રહી છે. અત્યારે ભાજપ દ્વારા હવે ઉમેદવારોની પસંદગી મુદ્દે મોટો નિર્ણય લેવાયો છે. ભાજપ દ્વારા નિરીક્ષકોને વિધાનસભા પ્રવાસે મોકલવાની રણનીતિ બનાવી છે. એમના દ્વારા 27,28 અને 29 તારીખે વિધાનસભાના પ્રવાસો કરીને જે જે લોકોને ઉમેદવારી નોંધાવવી હોય તેમની સાથે વન ટુ વન ચર્ચા કરશે. આની સાથે ઉમેદવારી ઈચ્છુક લોકો વાર્તાલાપ કરી એક રિપોર્ટ તૈયાર કરશે. ત્યારપછી આ રિપોર્ટને પર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલાશે તથા આના આધારે ટિકિટોનું ગણિત પણ થઈ શકે એવી ધારણા કરાઈ રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપની જીત અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, BJP 2/3થી વધુની બહુમતીથી સરકાર બનાવશે.7 મી વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપની જીત અંગે નિવેદન આપતા કહ્યું કે, આવનાર ચૂંટણીમાં ભાજપ 2/3થી વધુની બહુમતીથી ચૂંટણી જીતશે. અને 7 મી વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. અને ભાજપ બહુમતી પ્રાપ્ત કરશે. સૌરાષ્ટ્ર અંગે કહેતા કહ્યું કે ગત ચૂંટણી કરતાં આ ચૂંટણીમાં સૌરાષ્ટ્ર વધુ સીટ આવશે. ગત ચૂંટણીમાં અલગ અલગ સમાજના આંદોલનો હતા.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments