Webdunia - Bharat's app for daily news and videos

Install App

વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ `૧૮૨૨ કરોડની જોગવાઇ

Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2022 (16:55 IST)
પર્યાવરણની સમતુલાની જાળવણી અને વનોનું રક્ષણ તેમજ સંવર્ધન વિકાસ માટે જરૂરી છે. એશિયાઇ સિંહ માટે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય વિશ્વ પ્રસિદ્ધ છે. વૈશ્વિક સ્તરે પક્ષીઓની વૈવિધ્યતાને માન્યતા આપતા રામસર(ઇરાન) કન્‍વેન્‍શનમાં રાજ્યના ચાર જળપ્લાવિત વિસ્તારોનો સમાવેશ થયેલ છે. જે ગૌરવની વાત છે.          
વનો તેમજ ઘાસિયા વિસ્તારોના વિકાસ, સંવર્ધન અને સંરક્ષણની કામગીરી માટે જોગવાઇ `૪૮૦ કરોડ. 
વન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં સામાજિક વનીકરણ માટે જોગવાઇ 
`૩૨૫ કરોડ. 
વન્યપ્રાણીઓના નિભાવ અને સંરક્ષણ માટે જોગવાઇ `૩૨૪ કરોડ. 
વળતર વનીકરણ તથા અન્ય વન વિકાસની કામગીરીઓ માટે જોગવાઈ 
`૧૫૨ કરોડ.   
વન ચેતના કેન્દ્ર, નવા ઘાસ ગોડાઉન અને ઔષધીય વનના કામો માટે જોગવાઇ 
`૧૯ કરોડ.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભારતના રાષ્ટ્રીય વૃક્ષ અને સેંકડો વર્ષો સુધી જીવંત રહેનાર વડના વૃક્ષોનું ૭૫ સ્થળોએ વાવેતર કરી ૭૫ નમો વડ વનનું નિર્માણ કરવામાં આવશે. 
શિવરાજપુર બીચને બ્લ્યુ ફલેગ આંતરરાષ્ટ્રીય બીચ તરીકે માન્યતા મળેલ છે તે જ ધોરણે તીથલ-વલસાડ, માંડવી-કચ્છ, માધવપુર-પોરબંદર અને અહેમદપુર માંડવી-ગીરસોમનાથ ખાતે બ્લ્યુ ફ્લેગ બીચના વિકાસ માટે જોગવાઇ `૮ કરોડ. 
બામ્‍બુ મિશન યોજના હેઠળ આર્થિક મહત્વ ધરાવતા વાંસનું ૫૮૯૧ હેક્ટરમાં વાવેતર કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા જોગવાઇ `૨૦ કરોડ. 
લુપ્ત થતાં તેમજ દુર્લભ પ્રાણીઓ જેવા કે કોરલ રીફ, ડોલ્ફિન, ડુગોંગ તેમજ વરૂના સંરક્ષણ અને સંવર્ધન માટે જોગવાઇ `૧ કરોડ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

"સવારે હવન, રાત્રે તાજ હોટેલમાં બે પેગ..." 23 વર્ષની તપસ્યા, છતાં વિવાદોમાં ઘેરાઈ મમતા કુલકર્ણી

મમતા કુલકર્ણીના કિન્નર અખાડા પર હુમલો, મહામંડલેશ્વર અને તેમના 6 શિષ્યો ઘાયલ

પુત્ર પ્રતિકના લગ્નમાં Raj Babbar ને આમંત્રણ કેમ નહી ? સાવકા ભાઈએ બતાવ્યુ કારણ

ગુજરાતી જોક્સ - "હું મેકે જાઉં છું.

ગુજરાતી જોક્સ - આજે વેલેન્ટાઈન ડે છે

વધુ જુઓ..

નવીનતમ

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

Friendship Story- ખોટા મિત્ર

Turmeric For skin- હળદરમાં 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને દોષરહિત અને ચમકદાર ત્વચા મળશે.

એલ્યુમિનિયમ કૂકર કાળું થઈ ગયું છે, રસોડાની આ વસ્તુથી, તે ચાંદીની જેમ ચમકશે

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ તેમના પીહર કેમ જાય છે? માતાપિતાની સંભાળ શા માટે મહત્વપૂર્ણ છે તે જાણો

આગળનો લેખ
Show comments