Festival Posters

આજે PM મોદી, અમિત શાહ 4-4, કોંગ્રેસ અને AAP પણ જનસભાઓ ગજવશે, જાણો દિગ્ગજ નેતાઓનો આજનો કાર્યક્રમ

Webdunia
સોમવાર, 28 નવેમ્બર 2022 (09:26 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. બે તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરે તો બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે.  ત્યારે રાજ્યમાં આજે અને આવતીકાલે સ્ટાર પ્રચારકો વિવિધ સ્થળોએ ચૂંટણી પ્રચાર કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 ચૂંટણી સભા, ગૃહમંત્રી અમિત શાહ પણ 4 ચૂંટણી સભા તેમજ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો ચૂંટણી સભાો ગજવવાના છે.

PM મોદીએ ગઇકાલે નેત્રાંગ, ખેડા અને સુરતમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. તેમણે ભાજપ સરકારે ગુજરાતમાં રોજગારીની તકો વધારવા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો દાવો કર્યો હતો. આપણી નવી પેઢીએ સુરત-અમદાવાદના બોમ્બ બ્લાસ્ટ જોયા નથી. આ લોકો બટલા હાઉસના બ્લાસ્ટને આતંકવાદ નહોતા ગણતા. જેથી આ લોકોથી ચેતવાની જરૂર છે. કોંગ્રેસ પ્રમુખ પદ પર ચૂંટાયા બાદ પ્રથમવાર ગુજરાત આવેલા મલ્લિકાર્જુન ખડગેએ ગઇકાલે નર્મદાના દેદીયાપાડા અને સુરતના ઓલપાડમાં જનસભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, એકમાત્ર કોંગ્રેસ પક્ષ જ આદિવાસી લોકોનો સાચો હમદર્દ હોવાનું કહેતા મતદારોને પરીવર્તન માટે મતદાન કરી કોંગ્રેસને શાસન સોંપવા અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નહરુજીએ લોકતંત્રનો પાયો નાખ્યો છે તેમજ કોંગ્રેસના કાળમાં મજબૂતીથી કામ થયા છે.આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એક વખત જાહેર કર્યું છે કે, તેમના પક્ષની સરકાર રચશે તો સરકારી કર્મચારી માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. ગઇકાલે સુરત ખાતે પત્રકારોને સંબોધતા તેમણે આમ જણાવ્યું હતું.. કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી જંગમાં AAPએ ઝુકાવતાં ભાજપ અને આપ વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. કેજરીવાલે જામનગર ખાતે રોડ- શો યોજીને મતદાર સંપર્ક કર્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સભાનું આયોજન લાઠી અને ધ્રાંગધ્રા ખાતે થયું છે. છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલની પ્રચાર સભા પાલિતાણા ખાતે યોજાઈ હતી, જેમાં સાંસદ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસમાં ગુજરાતના પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગઇકાલે વડોદરા હવાઈમથકે પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ તરફી લહેર દોડી રહી હોવાનો દાવો કર્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Amla Candy Recipe: ઘરે આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી? રેસીપી ઝડપથી નોંધી લો.

Health Tips: જો તમને પણ છે લો બીપી તો થઈ જાવ સાવધાન, નહી તો આ 5 કારણ બગાડી શકે છે તમારુ આરોગ્ય

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

સનીની સાવકી માતા હેમા માલિની સાથે 1 કલાકની મુલાકાતમાં શુ થઈ વાત ? પિતા ધર્મેન્દ્રના નિધન પછી ઘરે પહોચ્યા

જેસલમેર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - મારી પત્ની મારાથી ગુસ્સે છે

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી કરી પહેલી પોસ્ટ, પુત્રીઓ સાથે પિતાની ફોટો, કહ્યુ - ખાલીપો.. જીવનભર

આગળનો લેખ
Show comments