Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના વરાછામાં ભાજપના ઉમેદવારની જંગી રેલી, હજારો પાટીદારો જોડાયા

સુરતના વરાછામાં ભાજપના ઉમેદવારની જંગી રેલી  હજારો પાટીદારો જોડાયા
Webdunia
સોમવાર, 20 નવેમ્બર 2017 (12:25 IST)
પાટીદારોનો ગઢ કહેવાતા સુરતના વરાછા વિસ્તારમાં ભાજપના ઉમેદવારે ઉમેદવારી પત્રક ભરવા માટે જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું.આ રેલીમાં કોઈ ગડબડ ન થાય તે માટે આ રેલીમાં પોલીસ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.વરાછા એ જ વિસ્તાર છે, જ્યાં ભાજપ સામે પાટીદારોમાં જોરદાર રોષ પ્રવર્તી રહ્યો છે. અનેક સોસાયટીઓમાં ભાજપના નેતાઓને પોલીસને સાથે રાખી પ્રચાર કરવા જવું પડે છે.વરાછા અને આસપાસના વિસ્તારોમાં અત્યાર સુધી અનેક વાર પાસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થઈ ચૂક્યું છે. ઘણા કિસ્સામાં પોલીસને પણ વચ્ચે પડવું પડ્યું છે.પાસના કાર્યકર્તાઓએ વરાછાના ઉમેદવાર કુમાર કાનાણીના ચૂંટણી કાર્યાલય પર પણ તોડફોડ કરી હતી.

કુમાર કાનાણીએ ફોર્મ ભરવા જતી વખતે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાનાણીએ જણાવ્યું હતું કે, જીત તો પાક્કી જ છે, બસ જંગી લીડથી પ્રતિસ્પર્ધીને હરાવવો જ મારું લક્ષ્ય છે.કુમાર કાનાણીના નામે જાણીતા કિશોર શિવાભાઈ કાનાણી 2012ની ચૂંટણીમાં 20,359 વોટથી જીત્યા હતા.કાનાણીનો દાવો છે કે જે પણ લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે તે પાટીદારો નહીં, પણ કોંગ્રેસના એજન્ટ છે. પાટીદાર આંદોલનની આ ચૂંટણી પર અને તેમને મળનારા મત પર કશીય અસર થવાની નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી લગ્ન પીઠી રીત

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments