Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરદારે જેવી રીતે અંગ્રેજોને હાંક્યા એ રીતે ગુજરાતમાંથી ભાજપને ભગાડો - રાહુલ ગાંધી

Webdunia
શુક્રવાર, 3 નવેમ્બર 2017 (12:05 IST)
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આદિવાસી પ્રભૂત્વ ધરાવતા વલસાડ જિલ્લામાં એક કાર્યક્રમમાં આશા વર્કર મહિલાઓને સંબોધિત કરી હતી. રાહુલે કહ્યું કે, ‘જેમ ગાંધીજી અને સરદારે અંગ્રેજોને આ દેશમાંથી બહાર હાંકી કાઢ્યા હતા તેમ ભાજપને ગુજરાતમાંથી બહાર ફેંકી દો રાહુલ ગાંધીને પોતાના ભાષણની શરુઆત ગુજરાતીમાં કેમ છો બોલીને કરી હતી. તેમણે કહ્યું કે આજે ગુજરાતની 6 કરોડ જનતા પાસે મોકો છે કે 22 વર્ષના ભાજપના શાસનનો અંત લાવે. રાહુલે પોતાના ભાષણમાં આગામી ચૂંટણીને મહાભારતનું ઉદાહરણ આપી સત્ય અને અસત્યની લડાઈ સાથે સરખાવી હતી. તેમણે કહ્યું કે ‘ગુજરાતનું સત્ય એ નથી કે જે ભાજપ સરકાર પ્રચાર કરી રહી છે. ખરુ સત્ય તો એ છે કે લાખો યુવાનો બેરોજગાર છે. હજારો આદિવાસીઓ ભૂખના કારણે મરણ પામી રહ્યા છે. પાટીદારો અને દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે. આરોગ્યની પૂરતી સેવાઓ નથી.’તેમણે કહ્યું કે, ‘મહાભારતમાં દુર્યોધન અને અર્જુન ભગવાન કૃષ્ણ પાસે ગયા હતા ત્યારે કૃષ્ણે દુર્યોધનને કહ્યું હતું કે પાંડવોને વધુ નહીં તો પાંચ ગામ આપી દો. પરંતુ તેણે કંઈ દેવાની ના પાડી હતી અને યુદ્ધની વાત કરી હતી. આ રીતે આપણી પાસે પણ કંઈ જ નથી સીવાય કે સત્ય. જ્યારે મોદી પાસે સરકારી તંત્ર છે, પોલીસ છે. પરંતુ વિજય અંતે સત્યનો જ થશે.’કોંગ્રેસ અને રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસનું વર્ચસ્વ ફરી સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments