Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં મીટિંગ માટે બેસાડી રાખીને પાટીદાર સમાજનું અપમાન કરનાર કોંગ્રેસને પાટીદારોનું 24 કલાકનું અલ્ટિમેટમ

Webdunia
શનિવાર, 18 નવેમ્બર 2017 (12:11 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર બાંભણિયાએ શુક્રવારે કોંગ્રેસને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવા અલ્ટિમેટમ આપ્યું છે. અનામત અંગે કોંગ્રેસે આપેલી 3 ફોર્મ્યુલા અંગે અંતિમ ચર્ચા માટે આમંત્રિત કરાયેલા ‘પાસ’ના આગેવાનોની કોંગ્રેસ હાઇકમાન્ડ સાથેની મુલાકાત થઈ શકી નહોતી, જેના કારણે દિનેશ બાંભણિયાએ સ્ફોટક નિવેદન આપ્યું છે કે, આ પાટીદારોનું અપમાન છે.

કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ 24 કલાકમાં સ્પષ્ટ કરે, નહીં તો ચૂંટણીમાં કોંગ્રેસનો પણ વિરોધ કરવામાં આવશે. બાંભણિયાએ ટીવી પર નિવેદન આપતાં જણાવ્યું કે, શુક્રવારે અમને આખો દિવસ ગુજરાત ભવનમાં બેસાડી રખાયા હતા, જે દરમિયાન ફક્ત ભરતસિંહ સોલંકીએ મુલાકાત કરી હતી. અમારી સાથે સિદ્ધાર્થ પટેલ હતા. તેમણે વારંવાર અશોક ગેહલોતને ફોન કરીને અમારી મુલાકાત માટે વાત કરી હોવા છતાં અમને કોઈ સમય અપાયો નહોતો. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે નિવેદન આપતા જણાવ્યું છે કે પાસના કોઈપણ નેતાઓ સાથે કોઈ પણ પ્રકારની નારાજગી નથી. કોઈપણ પ્રકારની ગેરસમજ થઈ હશે તો તેને દૂર કરવામાં આવશે. પાટીદારો સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે.  
 
 
 

સંબંધિત સમાચાર

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments