Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ ત્રણના સહારે ચૂંટણી જીતવા નીકળી છે - રૂપાણી

કોંગ્રેસ
Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2017 (12:41 IST)
મુખ્યપ્રધાન વિજય રૂપાણી રવિવારે રાજકોટની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન અને તબીબોના સ્નેહમિલનમાં હાજરી આપી હતી. રાજકોટના તબીબોના તમામ એસોસિએશનના ડોક્ટરોને સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસ ત્રણ જણા (હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર)ના સહારે વિધાનસભાની ચૂંટણી જીતવા નીકળી છે. ભાજપનો વિકાસ ગાંડો નથી થયો પરંતુ અમને ગૌરવ છે કે 45 વર્ષમાં ગુજરાતમાં કોંગ્રેસે જે નથી કર્યું તે ભાજપે કરી બતાવ્યું છે.

નર્મદાનું પાણી છેવાડાના ગામડાં સુધી પહોંચાડ્યું છે, ડબલ પટ્ટી રોડ ફોર ટ્રેક કર્યા છે અને ફોરટ્રેક રોડ સિક્સ ટ્રેક કર્યા છે. રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું ભૂમિપૂજન થયું છે. રાજકોટને થોડા સમયમાં નવું એરપોર્ટ પણ મળી જશે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, ભાજપમાંથી મુખ્યમંત્રી કોણ બનશે તે મહત્વનું નથી, પરંતુ ચૂંટણી કેવી રીતે જીતી શકાય તે માટે સૌ ખભેખભા મીલાવીને કામ કરી રહ્યા છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીને તેઓએ કોંગ્રેસ તરફી બતાવીને એમ કહ્યું હતું કે, યુવાનોએ સમાજના નામે આંદોલન શરૂ કર્યા ત્યારથી અમને ખબર હતી કે ત્રણેય કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments