Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં વિકાસ થયો હોત તો ૨,૭૧૮ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો ના આવ્યો હોત - કોંગ્રેસ

ગુજરાતમાં વિકાસ થયો હોત તો ૨ ૭૧૮ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો ના આવ્યો હોત - કોંગ્રેસ
Webdunia
બુધવાર, 18 ઑક્ટોબર 2017 (13:33 IST)
કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે ભાજપ સરકારે ગુજરાતમાં 22 વર્ષમાં વિકાસ કર્યો હોત તો ૨,૭૧૮ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવ્યો ના હોત. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખેડૂતોની સરેરાશ માસિક આવકમાં દેશમાં ૧૨મો ક્રમ ધરાવતાં ગુજરાતમાં ખેડૂતોની માત્ર રૂ. ૭૯૨૬ માસિક આવક સામે ૪૨.૬ ટકા ખેડૂતોને પરિવાર દીઠ રૂપિયા ૧૬.૭૪ લાખનું દેવું છે. ક્રાંતિ નામની સંસ્થાને રાજ્યનાં પોલીસ મહાનિર્દેશકે આર.ટી.આઈ.માં આપેલી વિગતો પ્રમાણે તા. ૧-૧-૨૦૦૩થી તા. ૩૦-૧૦-૨૦૦૭ દરમિયાન રાજ્યનાં ૨૪૭૯ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જ્યારે તા. ૧-૧-૨૦૦૮થી તા. ૧૮-૮-૨૦૧૨ દરમિયાન ૧૫૨ અને તા. ૧-૧-૨૦૧૩ થી તા. ૧-૬-૨૦૧૬ દરમિયાન ૮૭ ખેડૂતોએ ભાજપ સરકારની ખેડૂત અને કૃષિ વિરોધી નીતિનાં કારણે આર્થિક ભીંસમાં જીવનલીલા સંકેલવી પડી છે. જો મોદી શાસનમાં વિકાસ જ થયો હોત તો ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક માત્ર રૂ. ૭,૯૨૬ જ કેમ છે?   લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં બણગાં ફૂંકનાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં પછી છેલ્લાં બે વર્ષમાં ગુજરાતનાં ખેડૂતોની કુલ આવકમાં રૂ. ૩,૩૪૫ કરોડનો ઘટાડો થયો છે. એ જ રીતે લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોને પાક તૈયાર કરવાનાં કુલ ખર્ચ ઉપરાંત ૫૦ ટકા નફા સાથે ટેકાનો ભાવ આપવાનું જણાવનાર નરેન્દ્ર મોદીએ આ પ્રમાણે ટેકાનાં ભાવ વધાર્યા હોત તો એકાદ રાજ્યનું પણ ઉદાહરણ બતાવે. સુજલામ્ સુફલામ યોજના અને તાડપત્રીમાં થયેલા ભ્રષ્ટાચારનાં અહેવાલ પણ વિધાનસભામાં નહીં મુકવા દેનાર વડાપ્રધાન પોતે જ જાણે છે કે, સુજલામ્ સુફલામ યોજનાથી ખેડૂતોને કે મળતીયાઓને કેટલો લાભ થયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments