Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાની સભામાં અજાણ્યા શખ્સે કરી તોડફોડ

રાજકોટ
Webdunia
મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (13:25 IST)
શનિવારે રાતે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાઇ પર થયેલા હુમલા બાદ સોમવારે રાતે વધુ એક વખત ભાજપના કહેવાતા કાર્યકર દ્વારા કોંગ્રેસની જાહેરસભામાં ખુલ્લી તલવાર સાથે આતંક મચાવી તોડફોડ કરતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર મિતુલ દોંગાએ જણાવ્યું હતું કે, માડાડુંગર વિસ્તારમાં આવેલા આંબેડકરનગરમાં   કોંગ્રેસની જાહેરસભા હતી. પોતે ભાષણ કરીને નીકળી ગયા બાદ કોંગી આગેવાન ગોવિંદભાઇ ભાષણ કરી રહ્યા હતા.

આ સમયે આ જ વિસ્તારનો અને ભાજપનો કહેવાતો કાર્યકર જાદવ દેસુરભાઈ અલગોતર નામનો શખ્સ ખુલ્લી તલવાર સાથે ધસી આવ્યો હતો અને ગોવિંદભાઇના હાથમાંથી માઇક ઝૂંટવી લઇ સાઉન્ડ સિસ્ટમ સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. જેને કારણે સભામાં ઉપસ્થિત મહિલાઓ સહિતનાઓમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે, જાહેરસભામાં પોલીસ તેમજ ઇલેકશન કમિશનનો સ્ટાફ પણ હાજર હતો. તેવા જ સમયે અગાઉ હત્યા, ફાયરિંગ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા જાદવે સરાજાહેર આતંક મચાવ્યો હતો. ભયનો માહોલ ફેલાવી જાદવ અલગોતર ત્યાંથી નાસી છૂટ્યાં બાદ કોંગ્રેસના ટેકેદારો તેમજ કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગા સહિતનાઓ આજીડેમ પોલીસમથક દોડી ગયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments