Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાઘેલાના ત્રીજા મોરચામાં પંક્ચર પાડવા કૉંગ્રેસે ઘડી રણનીતિ

Webdunia
શનિવાર, 23 સપ્ટેમ્બર 2017 (12:27 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તાવિરોધી મતોમાં ભાગલા પડાવવા માટે ભાજપે શંકરસિંહ વાઘેલાનો ‘વોટરકટર’ તરીકે ઉપયોગ કરી રહી હોવાનું માનવામાં આવે છે ત્યારે કૉંગ્રેસે પણ વાઘેલાના ત્રીજા મોરચા તરીકે કૂદવાના દાવમાં પંક્ચર પાડવાની રણનીતિ ઘડી કાઢી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ કોઈ કસર છોડવા માગતું નથી. તેમ જણાવતા કૉંગ્રેસના એક અગ્રણીએ જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલાના મનસૂબાને કૉંગ્રેસ અને પ્રજા સારી રીતે સમજે છે.

ભાજપ અને વાઘેલાના મનસૂબાને કૉંગ્રેસ અને પ્રજા સારી રીતે સમજે છે. ભાજપ અને વાઘેલા વચ્ચે સાંઠગાંઠ સાબિત કરવા માટે બાપુએ કૉંગ્રેસ છોડી ત્યારથી લઈને રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલ વિરુદ્ધ ભાજપના ઉમેદવારને મત આપવાનું ઉદાહરણ અપાશે. કૉંગ્રેસ દ્વારા એવો પણ પ્રચાર કરાશે કે શંકરસિંહ વાઘેલાના ત્રીજા મોરચાને ભાજપ દ્વારા ફેડીંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. કૉંગ્રેસની રણનીતિને પાર પાડવા માટે પ્રચાર એજન્સીઓની મદદ પણ લેવાશે. શંકરસિંહ વાઘેલાએ ભાજપની બી ટીમ બનીને કૉંગ્રેસની મતબેન્ક તોડવા માટે જ જનવિકલ્પ નામનો મોરચો ઊભો કર્યો છે. ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય સફળ થયો નથી. શંકરસિંહ વાઘેલાની રાજકીય વિશ્ર્વસનીયતા ઉપર પ્રહાર કરવાનું પણ કૉંગ્રેસે નક્કી કર્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ
Show comments