Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દ્વારકાધીશના દર્શન કર્યાં

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (12:46 IST)
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  સોમવારે સવારે મીઠાપુર એરપોર્ટ પહોંચ્યા હતાં જ્યાં કોંગ્રેસ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  મીઠાપુરથી તેઓ સીધા  દ્વારકા મંદિરે પહોંચ્યા હતાં જ્યાં જગતમંદિરમાં તેમણે શીશ નમાવી દર્શન કરીને પ્રાર્થના કરી હતી. હવે જ્યારે રાહુલ ગાંધી રોડ શો દ્વારા જામનગર પહોંચશે અને માર્ગમાં સભાને સંબોધન કરશે. જામનગરમાં સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આગમનના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવામાં આવી છે.


સાંજે શહેરમાં તેઓ 6 કિમીની નવસર્જન યાત્રા કરી બાદમાં જાહેરસભાને સંબોધશે. તકે કોંગીના દિગ્ગજો સાથે રહેશે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના આગમનને પગલે કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો વહીવટીતંત્ર સ્ટેન્ડ ટુ થયું છે. અગાઉ ઈંદિરા ગાંધી 3 વખત દ્વારકા મંદિરની મુલાકાત લીધી હતી. જ્યારે રાજીવ ગાંધી પણ એક વખત દ્વારકા મંદિરની મુલાકાત લીધી હતી. જ્યારે આજે રાહુલ ગાંધી પણ દ્વારકા મંદિરથી નવસર્જન યાત્રાની શરૂઆત કરશે. દ્વારકા મંદિરેથી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments