Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાવનગરના સરદાર પટેલ સ્મૃતિ સ્મારકમાં દુર્લભ તસવીરો ખૂણામાં ધકેલી દેવાઈ

Webdunia
મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (13:22 IST)
દેશને આઝાદી અપાવવામાં અને આઝાદી બાદ અખંડ ભારતની રચનામાં સિંહ ફાળો આપનાર સરદાર વલ્લભભાઇ પટેલની સ્મૃતિમાં ભાવનગર ખાતે ક્રેસન્ટ સર્કલ ખાતે આવેલી સરદાર સ્મૃતિ ઇમારત બનાવવામાં આવી હતી. તેમની સ્મૃતિમાં ભાવનગર ખાતે બનાવવામાં આવેલુ સરદાર સ્મૃતિ સ્મારક એકદમ જર્જરીત હાલતમાં ગરકાવ થઇ ગયુ છે, અને સરદાર પટેલની દુર્લભ તસવીરો ખૂણામાં ધકેલી દેવામાં આવી છે, સરદાર દર્શન ખંડ બંધ, વાંચનાલયને તાળા મારી દેવામાં આવ્યા છે.

સરદાર સ્મૃતિનો સરદાર દર્શન ખંડ જર્જરીત હાલતમાં હોવાથી તેને બંધ કરવામાં આવ્યો છે, અને સરદાર પટેલની દુર્લભ ગણાતી તસવીરોને ખૂણામાં ધકેલી દેવામાં આવી છે, ઉપરાંત સરદાર પટેલના સુવાક્યો સાથેની તક્તીઓ ધૂળના ઢગલામાં પરિવર્તિત થઇ ચૂકી છે. સરદાર પટેલ અંગેનું વાંચનાલય પણ લાંબા સમયથી બંધ કરી દેવામાં આવ્યુ છે. સરદાર સ્મૃતિમાં ભોંયતળીયે આવેલા હોલને ભાડે આપવામાં આવે છે. તેના ભાડાની આવકમાંથી સમગ્ર પ્રવૃત્તિને ચલાવવામાં આવી રહી છે. પરંતુ ટ્રસ્ટીગણ મોટી ઉંમરના હોવાથી તથા આ ઇમારત પ્રત્યે પુરતુ ધ્યાન આપી શક્તા નહીં હોવાથી હાલ સાવ ખંઢેર બની ગયુ છે. લોકો સરદાર સ્મૃતિની પણ મુલાકાત લેતા. પરંતુ સમય જતા સરદાર સ્મૃતિની હાલત તદ્દન દયાજનક અવસ્થામાં તબદીલ થઇ ચૂકી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments