Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસમાં ઉકળતો જૂથવાદ - શક્તિસિંહ અને ભરતસિંહ વચ્ચે નંબરવન થવાની હોડ

કોંગ્રેસ
Webdunia
બુધવાર, 4 ઑક્ટોબર 2017 (13:33 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ વધી છે. જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં સારો દેખાવ અને રાજયસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે કોંગ્રેસના પ્રદેશ નેતાઓમાં નંબર વન થવાની હરિફાઈ જામી છે. કોંગ્રેસને ગુજરાતમાં જીવંત રાખનાર દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની માગણીઓ કોંગ્રેસે સ્વીકારી નહોતી, જેમાં પડદા પાછળ સાંસદ એહમદ પટેલની ભૂમિકા છે, જે ગુજરાત કોંગ્રેસના નંબર-૧ ચહેરા તરીકે છે. શંકરસિંહને હાઈકમાન્ડના નામે સતત અવગણવામાં તેમની ભૂમિકા રહી છે.

ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરનાર શંકરસિંહ સહિત ૧૩ જેટલા ધારાસભ્યોને કોંગ્રેસ છોડવા માટે મજબૂર કરનારા એહમદ પટેલ, શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીની ત્રિપુટી છે, શંકરસિંહને કટ ટુ સાઈઝ કરવામાં આ ત્રિપુટી કારગત સાબિત થઈ છે, જેની ચર્ચા કોંગ્રેસ સહિત રાજકીય ગલિયારામાં છે. રાજયસભાની ચૂંટણીમાં શકિતસિંહ ગોહિલે બે મતનો મુદ્દો ઊભો કરી કોંગ્રેસ પક્ષની અને એહમદ પટેલની આબરૂ બચાવી હતી, આ ઘટનાક્રમ પછી શકિતસિંહ હાઈકમાન્ડની ગુડબુકમાં આવી ગયા છે, હવે શકિતસિંહ પોતે જ નંબર-૧ના સ્થાને છે તેવું માની રહ્યા છે. તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ઘાર્થ પટેલ પણ પાટીદાર આંદોલનને લીધે ઊભા થયેલા વાતાવરણમાં નંબર વન થવા મથી રહ્યા છે. જયારે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર અને કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ નંબર વન બનવા મથામણ કરી રહ્યા છે. કોંગ્રેસમાં અત્યારે શાંતિનો સાગર વહી રહ્યો છે પરંતુ ચરૂ ઉકળતો છે. ગુજરાતમાં સારી સ્થિતિ બને તો રાજયસભાની સીટ પરથી માંડ માંડ જીતેલા કોંગ્રેસના દિલ્હી સ્થિત રાજનેતા એહમદ પટેલ નજર નાખીને બેઠા છે, વર્ષોથી ગુજરાતના નંબર-૧ થવાની તેમની મહત્ત્વાકાંક્ષા છુપી નથી. ગુજરાતના વિકાસમાં દિલ્હી રહીને ઝાઝુ યોગદાન તેમણે આપ્યું હોય તેવું પણ નોંધાયું નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

આગળનો લેખ
Show comments