Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણપતિ વિસર્જન વિધિમાં આ લાલ પોટલી સાથે જરૂર મૂકવી

Webdunia
રવિવાર, 24 સપ્ટેમ્બર 2023 (14:03 IST)
ભગવાન ગણેશને સમર્પિત અનંત ચતુર્દશીનો તહેવાર આવવાનો છે. આ દિવસે ભગવાન ગણેશની દસ દિવસીય પૂજા પૂર્ણ થાય છે અને તેમનું વિસર્જન કરવામાં આવે છે. ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરતી વખતે, તેમના ભક્તો ભગવાન ગણેશને આવતા વર્ષે આવવા માટે પ્રાર્થના પણ કરે છે.
 
તમે જે પણ ભગવાન ગણેશને વિદાય આપી રહ્યા છો, તે દિવસે સૌથી પહેલા તેમની પૂજા કરવી જરૂરી છે. આ સમય દરમિયાન, તમારે ગણેશજીને બધી પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. ઘરના બધા સભ્યો ભેગા થઈને ભગવાન ગણેશની આરતી કરે છે, તેમને ફૂલ ચઢાવે છે અને ભોજન અર્પણ કરે છે. 10 દિવસમાં સેવામાં થયેલી ભૂલો માટે શ્રી ગણેશજીની માફી માગો. આ પછી, વિસર્જનની થોડી મિનિટો પહેલાં, પરિવારના એક સભ્યએ ભગવાન ગણેશની મૂર્તિને પકડી રાખવી જોઈએ અને તેને થોડી ખસકાવવી જોઈએ.

પૂજા કર્યા પછી થોડાક દાળ અને ચોખાને નાના અને સ્વચ્છ લાલ કપડામાં બાંધી દો. તેની સાથે થોડા પૈસા અને સોપારી પણ આ પોટલીમાં મૂકો. પોટલીમાં ગણેશજીને અર્પિત ફૂલ, ફળ પણ રાખીને  પોટલી બનાવીને ભગવાન ગણેશ પાસે રાખો.  આ પોટલીને પણ આદર સાથે ગણપરિની સાથે વિસર્જિત કરવી. 

Edited By-Monica sahu 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments