Dharma Sangrah

ગણેશ ચતુર્થી વિશેષ - મગની દાળના મોદક

Webdunia
ગણેશ ચતુર્થી આવવાની તૈયારીમાં છે તો આવામાં તમે ગણપતિ દાદાને પ્રસાદ ધરાવવા માટે અવનવી ડિશ બનાવવાનું વિચારી રહ્યાં હશો. તમે જાણતા જ હશો કે ગણેશજીને મોદક અત્યંત પ્રિય છે, તો વધુ કંઇ વિચારવામાં સમય પસાર કરવા કરતા તેમને પ્રિય મોદક જ બનાવી દો. પણ હા આ વખતે સામાન્ય મોદક ન બનાવતા તેમના માટે બનાવો મગની દાળના મોદક. 
સામગ્રી - 2 કપ મગની દાળ, 50 ગ્રામ ગોળ, 1 ચમચી ઇલાયચી દાણા, 2 ચમચી ખાંડ(દળેલી) 1 કપ દૂધ, 1 ચમચી મીઠું, 3 કપ ચોખાનો લોટ, 4 કપ પાણી. 
 
બનાવવાની રીત - એક મોટી કઢાઈમાં 1 કપ પાણી લો અને તેમાં ગોળ મિક્સ કરો અને જ્યાંસુધી તે ઘટ્ટ ન થઇ જાય ત્યાંસુધી ગરમ કરો. 
 
હવે તેમાં અડઘો કપ દૂધ અને ઇલાયચીના દાણા નાંખો અને સામાન્ય આંચ પર 2-3 મિનિટ સુધી રાંધો. હવે કઢાઈમાં મગની દાળ અને 1 કપ પાણી નાંખો. કઢાઈ પર ઢાંકણ લગાવી દો અને લગભગ 7 મિનિટ સુધી મધ્યમ મધ્યમ આંચ પર રાંધો. જો કઢાઈમાં વધુ પાણી હોય તો તેને મોટી આંચ કરીને બાળી દો. 
 
ત્યાંસુધી ચોખાના લોટમાં ખાંડ અને ચપટી મીઠું મિક્સ કરો. ત્યારબાદ દૂધ અને 1 કપ ગરમ પાણી મિક્સ કરો અને લોટ બાંધી લો.
 
હવે લોટમાંથી લુઆ પાડી તેને હથેળી પર રાખી સપાટ કરી લો. પછી તેમાં મગની દાળની સામગ્રી ભરો અને મોદકનો આકાર આપો.
 
આ રીતે બધી સામગ્રીમાંથી મોદક તૈયાર કરો અને એક સ્ટીલના વાસણમાં રાખો. હવે પ્રેશર કૂકરમાં 4 કપ પાણી નાંખો અને તેમાં મોદક ભરેલું સ્ટીલનું વાસણ મૂકી દો. ચાર સીટી વાગે ત્યાંસુધી મોદક બાફી લો. જ્યારે વરાળ બહાર નીકળી જાય એટલે કૂકરનું ઢાંકણું ખોલી લો. તૈયાર છે ગણપતિદાદા માટે પ્રસાદ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Promise Day કરો પ્યારના 5 ખાસ વાદા

એકલા હોય અને હાર્ટ અટેક આવે તો શું કરવું જોઈએ, આવો જાણો આવી સ્થિતિમાં કઈ મેડિકલ ટીપ્સ બચાવશે તમારો જીવ

Happy Promise Day 2026 Shayari: હું દરેક ક્ષણે તારી સાથે રહેવાનું વચન આપું છું, પ્રોમિસ ડે પર દિવસની શરૂઆત યાદગાર બનાવવા પાર્ટનરને મોકળો આ રોમાંટિક પ્રોમિસ ડે શાયરીઓ

વેલેન્ટાઇન ડે પર રેડ વેલ્વેટ કૂકીઝ

કેન્સરમાં હળદર કેટલી લાભકારી ? કેવી રીતે ઉપયોગ કરવાથી ભરપૂર ફાયદો મળે છે ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતના 12 જ્યોતિર્લિંગ: શિવરાત્રિ પર જાણો 12 જ્યોતિર્લિંગનો મહિમા, પૌરાણિક કથાઓ અને યાત્રાની સંપૂર્ણ વિગત

મહાશિવરાત્રિ 2026: સોમનાથ દાદાના ભક્તો માટે ખુશખબર, સતત 42 કલાક મંદિર ખુલ્લું રહેશે

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

આગળનો લેખ
Show comments