Dharma Sangrah

Dussehra 2024 Date : દશેરા ક્યારે છે 12 કે 13 ઓક્ટોબર ? જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Webdunia
શુક્રવાર, 11 ઑક્ટોબર 2024 (16:23 IST)
dussehra
 Dussehra 2024 Kyare Che : દશેરાનો તહેવાર એટલે કે વિજયાદશમી અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરાની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. આ વર્ષે દશેરા 12 ઓક્ટોબર અથવા 13 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ અંગે લોકોના મનમાં મૂંઝવણ છે. દશેરાનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. અશ્વિન શુક્લ પક્ષ દશમીના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને માતા સીતાને તેની કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. ત્યારથી દશેરાનો તહેવાર દર વર્ષે ઉજવાય છે. આ દિવસે રાવણ સાથે જ કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનુ દહન કરવામાં આવે છે. આવો જાણીએ દશેરાની ડેટ, દશેરા પર ક્યા શુભ યોગ બને રહ્યા છે.  આ દિવસે રાવણ સાથે જ કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનુ દહન પણ કરવામાં આવે છે. આવો જાણીએ દશેરાની ડેટ, દશેરા પર કયા શુભ યોગ બની રહ્યા છે અને સાથે જ આ તહેવારનુ મહત્વ. 
 
 
દશેરા કે વિજયાદશમી ક્યારે છે 
પંચાગ મુજબ અશ્વિન શુક્લ દશમી તિથિ 12 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગીને 58 મિનિટથી શરૂ થશે અને 13 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગીને 8 મિનિટ સુધી રહેશે. દશેરાનો તહેવાર ખરાબ પર સારાની જીત, અન્યાય પર ન્યાયની જીતનુ પ્રતિક છે.  આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. દશેરાના દિવસે રાવણ દહનનુ વિશેષ મહત્વ છે.  
 
દશેરા પર બની રહ્યા છે શુભ યોગ 
આ વર્ષે દશેરા પર એટલે કે 12 ઓક્ટોબરના રોજ ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ આપના બધા કાર્યો સફળ બનાવશે.  12 ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે રવિ યોગ આખો દિવસ રહેશે. જેનાથી દરેક પ્રકારના દોષ દૂર થશે. સવારે 6 વાગીને 19 મિનિટથી રાત્રે 9 વાગીને 8 મિનિટ સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે.  આ યોગમાં કરવામાં આવેલ કામોના સફળ થવાની શક્યતા ખૂબ વધુ હોય છે. દશેરા પર શસ્ત્ર પૂજાનો શુભ સમય બપોરે 2 વાગીને 3 મિનિટથી બપોરે 2 વાગી ને 49 મિનિટ સુધી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

વધુ જુઓ..

નવીનતમ

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

આગળનો લેખ
Show comments