Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

35 વર્ષથી સ્ટેજ પરભગવાન રામનું પાત્ર ભજવી રહેલા સુશીલ કૌશિકનું હાર્ટ એટેકથી મોત

35 વર્ષથી સ્ટેજ પરભગવાન રામનું પાત્ર ભજવી રહેલા સુશીલ કૌશિકનું હાર્ટ એટેકથી મોત
, રવિવાર, 6 ઑક્ટોબર 2024 (16:40 IST)
દિલ્હીના શાહદરા વિસ્તારમાં રામલીલાના મંચ દરમિયાન એક ખૂબ જ ભાવનાત્મક અને આઘાતજનક ઘટના બની. અહીં ઝિલમિલ રામલીલા સમિતિના સભ્ય અને છેલ્લા 35 વર્ષથી ભગવાન 'રામ'ની ભૂમિકા ભજવી રહેલા સુશીલ કૌશિકનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. આ ઘટના ત્યારે બની જ્યારે રામલીલામાં સીતા સ્વયંવરનું દ્રશ્ય ચાલી રહ્યું હતું.
 
ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા સુશીલ કૌશિક પોતાના સંવાદો બોલતા બોલતા સ્ટેજ પરથી પાછા ગયા અને ત્યાં જ પડી ગયા.
 
ઘટના વખતે સુશીલ કૌશિક 'રામ'ના રોલમાં હતો. સ્ટેજ પર સીતા સ્વયંવરનું મંચન થઈ રહ્યું હતું. સુશીલ કૌશિક 16 વર્ષની ઉંમરથી રામલીલામાં રામનું પાત્ર ભજવી રહ્યો હતો. ઘટનાની રાત્રે તેઓ સ્ટેજ પર હાજર હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્પીડમાં આવતા ડમ્પરે 3 મોટરસાઈકલને ટક્કર મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત...5 ઘાયલ