rashifal-2026

દિવાળીના દિવસે અહી પ્રગટાવશો દિવો તો મળશે શુભ ફળ

Webdunia
શનિવાર, 14 ઑક્ટોબર 2017 (16:19 IST)
દિવાળી પર પ્રદોષકાળનો સમય સાંજે 5.38 વાગ્યાથી લઈને રાત્રે 8.14 મિનિટ સુધી રહેશે.  આ કાળમાં લક્ષ્મી પૂજનનુ સૌથી શુભ મુહૂર્ત છે.  
 
ભારતના સૌથી મોટા તહેવારોમાંથી દિવાળી એક છે. કારતક મહિનાની અમાસના દિવસે દિવાળીના તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ વર્ષે દિવાળી 19 ઓક્ટોબર 2017ના રોજ ઉજવાશે. દિવાળીના તહેવારના દિવસે પ્રકાશનુ પોતાનુ જુદુ જ મહત્વ છે. પ્રકાશ માટે પારંપારિક રીતે દીવાને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. દિવાળીના તહેવાર પર ઘરને દિવાથી ઝગમગ કરવામાં આવે છે. 
 
દિવાળી પર દીવા પ્રગટાવાની એક જુદી જ માન્યતા છે. એવુ માનવામાં આવે છે કે દિવાળી પર દિવા પ્રગટાવવાથી ભગવાન ગણેશ અને મા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે.  આ ઉપરાંત દિવાને શુભ સંકેતના રૂપમાં પણ જોવામાં આવે છે. આવો જાણીએ દિવાળી પર ક્યા ક્યા દીવા પ્રગટાવવા જોઈએ... 
 
1. સૌથી પહેલા દિવાળી પર મા લક્ષ્મીની ફોટો આગળ ઘી નો એક મોટો દિવો પ્રગટાવવો ખૂબ શુભ ફળદાયક રહે છે.. 
 
2. આ ઉપરાંત આખા ઘરમાં તેલનો દિવો પ્રગટાવવો જોઈએ. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજા પર જરૂર દિવો પ્રગટાવવો જોઈએ. ઘરના મંદિરમાં પણ દીવો પ્રગટાવવો જોઈએ. 
 
3. આ ઉપરાંત ઘરમાં રહેલ બારી અને અગાશી પર પણ દીવો પ્રગટાવવો જોઈએ. ઘરના રસોડામાં પણ દીવો પ્રગટાવવો જોઈએ. આવુ કરવાથી ઘરમાં દરેક સમયે અન્ન બનાવી રહે છે. અન્નની કમી નથી રહેતી. ઘરના રૂમના ઉંબરા પર પણ દીવો પ્રગટાવવો જોઈએ. 
 
4. ઘરના ઉપરાંત ઘરની બહાર પણ અનેક સ્થાન પર દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.  ઘરની બહાર જો કોઈ ચારરસ્તા છે તો ત્યા પણ દીવો પ્રગટાવવો જોઈએ.. ઘરની નિકટ કોઈ મંદિર છે તો ત્યા પણ દીવો પ્રગટાવવો જોઈએ. 
 
5 દિવાળીની રાત્રે પીપળના ઝાડ નેચે દીવો પ્રગટાવવાની માન્યતા છે. એવુ માનવામાં આવે છે કે તેનાથી મા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

તમાલપત્ર પાણી પીવાના ફાયદા, વજન ઘટાડવા માટે કેટલા દિવસ પીવું જોઈએ, આ બિમારીમાં પણ છે લાભકારી

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

વધુ જુઓ..

નવીનતમ

Ratha Saptami 2026: રથ સપ્તમી 2026 ક્યારે છે ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

આગળનો લેખ
Show comments