Webdunia - Bharat's app for daily news and videos

Install App

Crime News - સુરતના કિમમાં ઘરજમાઈ તરીકે રહેતા પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી

Webdunia
સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (16:07 IST)
સુરતના કિમ ગામમાં પરિણીત યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. પંચવટી સોસાયટીમાં 22 વર્ષીય પરપ્રાંતીય યુવતીની હત્યા પાછળનું કોઈ જ કારણ જાણી શકાયું નથી. જોકે યુવતીનાં પરિવારજનોએ ઘરજમાઈ તરીકે રહેતા પતિએ જ હત્યા કરી હોવાના આક્ષેપ કર્યા છે. જ્યારે પતિ પણ ઘરને તાળું મારી ભાગી ગયો છે.

પોલીસે જણાવ્યું હતું કે મૃતક કિરણ ગોડના 6 મહિના પૂર્વે જ લગ્ન થયા હતા. હત્યા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરવામાં આવી છે. પતિએ જ રાત્રિ દરમિયાન હત્યા કરી હોવાનો મૃતક યુવતીનાં પરિવારજનોનો આક્ષેપ છે. હત્યા કર્યા બાદ પતિ ઘરને તાળું મળી ભાગી ગયો છે. હાલ કિમ પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ હાથ ધરી છે.પરિવારે જણાવ્યું હતું કે કિરણ ગૌડ (દીકરી)ના રૂમમાં વહેલી સવારે તાળું મારેલું જોતાં માતાપિતા આશ્ચર્યમાં આવી ગયાં હતાં. બારીમાંથી નજર કરતાં કિરણ ગૌડનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ દેખાયો હતો.

6 મહિના પહેલાં જ કિરણ ગૌડના લગ્ન હરિશ્ચંદ્ર ગૌડ સાથે થયા હતા. છેલ્લા ચાર માસથી હરિશ્ચન્દ્ર ગૌડ પત્નીના ઘરે જ એટલે કે ઘર જમાઈ બનીને રહેતો હતો.ત્રણ દિવસ બાદ ઘરે આવેલા પતિ હરિશ્ચંદ્ર ઘરને બહારથી તાળું મારી ભાગી જતાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. હાલ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે દીકરીની હત્યા તેના જ પતિ હરિશ્ચંદ્ર ગૌડ દ્વારા કરવામાં આવી છે. પોલીસે કિરણના મૃતદેહનો કબજો લઇ પીએમની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments