Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઢોંગી બાબાનો 17 છોકરીઓ પર રેપ, શ્રીમંત બનવાની પુજાવિધિના બહાને યુવતીઓના ઉતરાવી દેતો હતો કપડા અને બનાવતો હતો વીડિયો

Webdunia
ગુરુવાર, 7 માર્ચ 2024 (11:14 IST)
દેહવેપારના આરોપમાં એક સ્વયંભૂ બાબા સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી. શ્રીમંત બનવાની ઈચ્છા રાખનારા લોકો માટે અનુષ્ઠાન કરવાની આડમાં બાબા આ રેકેટ ચલાવી રહ્યા હતા. રેકેટની તપાસ રાબોડીથી 15 વર્ષીય યુવતીના ગાયબ થયા બાદ શરૂ કરવામાં આવી. 
 
લાપતા પીડિતા વિરુદ્ધ અપહરણનો મામલો નોંધવામાં આવ્યો હતો. ઠાણે અપરાધ શાખાના એક અધિકારીએ શનિવારે કહ્યુ કે તપાસમાં 25 ફેબ્રુઆરીના રોજ અસલમ ખાન અને સલીમ શેખ નામના બે લોકોની ધરપકડ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન બંનેયે પોલીસને મુખ્ય આરોપી સાહેબલાલ વજીર શેખ ઉર્ફ યૂસુફ બાબા વિશે બતાવ્યુ. જેની થોડા સમય બાદ ધરપકડ કરવામાં આવી. 
 
અધિકારી કહ્યુ અમારી તપાસમાં જોવા મળ્યુ છે કે યૂસુફ બાબા અને તેના સહયોગીઓએ બ્લેક મેજીકના માઘ્યમથી ધન કમાવવાનુ વચન આપીને આર્થિક રૂપથી કમજોર યુવતીઓને લોભાવી. કેટલાક અનુષ્ઠાનમાં મહિલાઓને નગ્ન કરી દેવામાં આવતી હતી. તેમણે કહ્યુ કે આરોપીઓના મોબાઈલ ફોન પરથી અન્ય આપત્તિજનક પુરાવા સાથે આ અનુષ્ઠાનોના અનેક આપત્તિજનક વીડિયો જોવા મળ્યા છે. 
 
ઠાણે ક્રાઈમ બ્રાંચ યૂનિટના ઈંસ્પેક્ટર કૃષ્ણા કોકનીએ કહ્યુ કે અમારુ માનવુ છે કે આ ટોળીમા ઓછામાં ઓછા 17 લોકોને જાળમાં ફસાવ્યા. સાત ધરપકડ ઠાણે, પાલઘરના વસઈ અને પડોસી મુંબઈથી કરવામાં આવી. આ ટોળીમાં બે મહિલાઓ પણ સામેલ છે. 
 
આઈપીસીના હેઠળ અપહરણ, દુષ્કર્મ અને દગાબીજી તેમજ અન્ય અપરાધોનો મામલો રાબોડી પોલીસ સ્ટેશનમાં નોંઘવામાં આવ્યો છે અને આ રૈકેટની આગળ તપાસ ચાલુ છે. અધિકારી જણાવ્યુ કે આરોપીઓને યૌન અપરાધો દ્વારા બાળકોની સુરક્ષા  (POCSO) અધિનિયમ અને મહારાષ્ટ્ર માનવ બલિ અને અન્ય અમાનવીય અને અઘોરી પ્રથાઓ અને કાળા જાદુ રોકથામ અને ઉન્મૂલન અધિનિયમ 2013 હેઠળ પણ આરોપ લગાવ્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Meladi maa mandir- દ્વિમુખી મેલડી માતાનું મંદિર રાજકોટ્

કચ્છ રણ ઉત્સવથી માત્ર 150 કિમીની અંદર છે, આ 3 સારા સ્થળો તમે મુલાકાત લઈ શકો છો

ગુજરાતી જોક્સ - રાયતા ફેલાવવા છે

ગુજરાતી જોક્સ - શ્રી કૃષ્ણ

ગુજરાતી જોક્સ - મૂર્ખ વકીલ

વધુ જુઓ..

નવીનતમ

ગ્રીન ટી શૉટ ઘરે જ તૈયાર કરો, તમને સ્વાદની સાથે પોષણ પણ મળશે.

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?

રામાયણની વાર્તા: ભગવાન રામનું મૃત્યુ

આગળનો લેખ