Webdunia - Bharat's app for daily news and videos

Install App

India vs Australia 2023 - ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે બે જુદી-જુદી ટીમોની જાહેરાત, આ ખેલાડીને મળી કપ્તાની

Webdunia
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (06:53 IST)
IND vs AUS ODI - વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વનડે સીરીઝ રમવા જઈ રહી છે. આ શ્રેણી 22 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. BCCIએ આ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ બે એકદિવસીય મેચો માટે એક અલગ ટીમ પસંદ કરવામાં આવી છે જેમાં ઘણા સ્ટાર ખેલાડીઓ સામેલ નથી. ત્રીજી વનડે માટે માત્ર વર્લ્ડ કપ રમી રહેલી ટીમ જ મેદાનમાં ઉતરશે, જેમાં તમામ ખેલાડીઓની વાપસી સિવાય બે વધુ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.
 
રાહુલની કેપ્ટનશીપમાં ઉતરશે યંગ બ્રિગેડ  
ઉલ્લેખનીય છે કે પ્રથમ બે મેચ માટે કેએલ રાહુલની કેપ્ટનશીપમાં યુવા ટીમ મેદાનમાં ઉતરવાની છે. રાહુલે તાજેતરમાં જ ઈજામાંથી સાજા થયા બાદ એશિયા કપમાં શાનદાર વાપસી કરી હતી. જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને પ્રથમ બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. પ્રથમ બે વનડે માટે રવીન્દ્ર જાડેજાને  વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ સિવાય શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશન જેવા યુવા ખેલાડીઓને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. શ્રેયસ અય્યર પણ આ શ્રેણીમાં ભાગ લેવા માટે ફિટ થઈ ગયો છે. આ ઉપરાંત આર અશ્વિનને 21 મહિના બાદ એકવાર ફરી ટીમમાં સ્થાન મળ્યું છે. જો અક્ષર પટેલ ફિટ નહી હોય તો અશ્વિનને પણ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળી શકે છે.
 
વર્લ્ડ કપની ટીમ ત્રીજી મેચમાં રમશે
જ્યારે આ સીરીઝની ત્રીજી એટલે કે છેલ્લી વનડેમાં માત્ર વર્લ્ડ કપની ટીમને જ રમવાની તક મળશે. પરંતુ અશ્વિન અને વોશિંગ્ટન સુંદરનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ પહેલા આ ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહે છે તે જોવું ખાસ રહેશે. જ્યારે અક્ષર પટેલનું રમવું તેના પર નિર્ભર રહેશે કે તે ફિટ છે કે નહીં. અક્ષર તાજેતરમાં એશિયા કપની સુપર 4 મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ BCCI અધ્યક્ષ અજીત અગરકરે કહ્યું કે આ ખેલાડી આ શ્રેણીમાં ફિટ થઈ શકે છે.
 
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે વનડે માટે ભારતીય ટીમઃ
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણ, આર અશ્વિન, વોશિંગ્ટન સુંદર.
 
ત્રીજી વનડે માટે ભારતીય ટીમઃ
રોહિત કેપ્ટન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ (ફિટનેસના આધાર પર), રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુંબઈઃ અંધેરી લોખંડવાલા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, રાહત કાર્ય ચાલુ

2 વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં ફસાઈ, બચાવ કામગીરી બે વખત નિષ્ફળ

સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ચાંદી પણ લપસી, તમારા શહેરના નવા ભાવ તરત જ ચેક કરો

મોદી કેમ ઈચ્છે છે વન નેશન-વન ઇલેક્શન ? આ કેવી રીતે કામ કરશે? શું હશે તેની રૂપરેખા, જાણો તેના ફાયદા અને નુકશાન

ગુજરાતને મળી 20 નવી વોલ્વો બસ, એરક્રાફટ, સબમરીન જેવી સુવિધાઓ મળશે

આગળનો લેખ
Show comments