Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીમ ઈંડિયાના આ દિગ્ગજ ખેલાડી પર બનશે બોલીવુડ ફિલ્મ, રણબીર કપૂરને મળશે લીડ રોલ

Webdunia
ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (16:54 IST)
મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Singh Dhoni), સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને મોહમ્મદ અઝહરુદ્દીન(Mohammad Azharuddin) બાદ હવે સૌરવ ગાંગુલી(Sourav Ganguly)ના જીવનને મોટા પડદા પર લાવવામાં આવશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન પણ આ બાબતને લઈને ખૂબ જ ખુશ છે.
 
'દાદા'એ કર્યુ એલાન 
 
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી(Sourav Ganguly)એ પોતાના ટ્વિટર એકાઉંટ પર આ અંગેનુ ઓફિશિયલ એલાન કર્યુ છે. તેમણે લખ્યું છે, 'ક્રિકેટ મારું જીવન છે, તેણે મને કોન્ફિડેંસ અને  ચાલવા માટે આત્મવિશ્વાસ આપ્યો છે, આ એવી મુસાફરી છે,  જેને પ્રેમ કરવો જોઈએ, હુ આ વાતને લઈને  ઉત્સાહિત છું કે Luv Films એક બાયોપિક બનાવી રહી છે, જેમાં મારી જર્નીને મોટા પડદા પર જીવંત કરવામાં આવશે.
 
Luv Films ને મળી જવાબદારી 
 
Luv Films એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે અમે આ વાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ કે  ' Luv Films દાદા સૌરવ ગાંગુલીની બાયોપિક બનાવશે. અમને આવી જવાબદારી આપવામાં આવી તે બદલ સન્માનિત અનુભવી રહ્યા છીએ અને ભવિષ્યમાં અમે આ મહાન ઇનિંગ્સની રાહ જોઈ રહ્યા છીએ.
 
રણબીર કપૂર ભજવી શકે છે દાદાનો રોલ 
 
એવી અફવા હતી કે સૌરવ ગાંગુલીની ભૂમિકા ભજવવા માટે ઋત્વિક રોશનની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ પાછળથી એવા અહેવાલો આવ્યા કે બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર દાદાની ભૂમિકા ભજવી શકે છે.

સંબંધિત સમાચાર

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments