Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીસીસીઆઈના સચિવ જય શાહ આઈસીસીના ચૅરમૅન તરીકે બિનહરીફ ચૂંટાયા

Webdunia
બુધવાર, 28 ઑગસ્ટ 2024 (07:47 IST)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના સચિવ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચૅરમૅનપદે ચૂંટાઈ આવ્યા છે. તેમની પસંદગી નિર્વિરોધ થઈ.
 
આઈસીસી ચૅરમૅન તરીકે જય શાહનો કાર્યકાળ પહેલી ડિસેમ્બર, 2024થી શરૂ થશે.
 
આઈસીસીના હાલના ચૅરમૅન ન્યૂઝિલૅન્ડના ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30મી નવેમ્બરના રોજ સમાપ્ત થશે.
 
35 વર્ષના જય શાહ આઈસીસીના સૌથી યુવાન ચૅરમૅન હશે.
 
જય શાહે એક નિવેદનમાં કહ્યું, “હું આઈસીસીની ટીમ તથા સભ્યદેશો સાથે ક્રિકેટનો દુનિયામાં પ્રસાર કરવા પ્રતિબદ્ધ છું.ठ
 
આ પહેલાં જગમોહન ડાલમિયા, શરદ પવાર, એન. શ્રીનિવાસન તથા શશાંક મનોહર આ પદ પર પોતાની સેવા આપી ચૂક્યા છે.
 
જય શાહ ઑક્ટોબર, 2019માં બીસીસીઆઈના સચિવ બન્યા હતા. 2022માં તેમણે ફરી આ પદ સંભાળ્યું. તેમનો કાર્યકાળ 2025 સુધીનો છે. પરંતુ હવે તેઓ આઈસીસીના ચૅરમૅન બન્યા છે તેથી તેમણે બીસીસીઆઈનું આ પદ છોડવું પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - "હું મેકે જાઉં છું.

ગુજરાતી જોક્સ - આજે વેલેન્ટાઈન ડે છે

ગુજરાતી જોક્સ - હિપ્નોસિસ

ગુજરાતી જોક્સ - એક રૂપિયો આપો.

32 વર્ષના રૈપરની રહસ્યમયી પરિસ્થિતિમાં મોત, માતાના દાવાએ મચાવી હલચલ

વધુ જુઓ..

નવીનતમ

Valentine Special - હાર્ટ શેપ પિઝા રેસીપી

Moral Short Story- સંયમ

Glowing Skin - ચાંદ જેવી ચમક મેળવવા માટે અઠવાડિયામાં બે દિવસ આ કામ કરો

Kiss Day પર જાણો સ્પાઈડર થી લઈને એરૉટિક સુધી આ 6 પ્રકારના Kiss અને તેના અર્થ વિશે

Old Clothes Reuse રસોડામાં અનોખી રીતે જૂના શર્ટનો ઉપયોગ કરો, ઘણા કામ સરળ થઈ જશે.

આગળનો લેખ
Show comments