Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BCCI gives 8.5 Crore to IOA: BCCIની મોટી જાહેરાત, પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓને 8.5 કરોડ રૂપિયાની મદદ, જય શાહની જાહેરાત

BCCI gives 8.5 Crore to IOA: BCCIની મોટી જાહેરાત, પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓને 8.5 કરોડ રૂપિયાની મદદ, જય શાહની જાહેરાત
નવી દિલ્હી. , સોમવાર, 22 જુલાઈ 2024 (00:30 IST)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી ભારતીય ટીમને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. બોર્ડના સચિવ જય શાહે રવિવારે સોશિયલ મીડિયા પર ભારતીય ઓલિમ્પિક સંઘને 8.5 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. પેરિસમાં યોજાનારી આ મેગા ઈવેન્ટમાં ભારતના કુલ 117 એથ્લેટ ભાગ લઈ રહ્યા છે. બીસીસીઆઈએ આ પગલું એ ખાતરી કરવા માટે લીધું છે કે ભારતીય ખેલાડીઓ માટે સુવિધાઓની કોઈ કમી ન રહે.
 
આગામી સપ્તાહથી પેરિસમાં મહાકુંભ ઓલિમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું છે. જેનું આયોજન 26મી જુલાઈથી 11મી ઓગસ્ટ દરમિયાન કરવામાં આવનાર છે. ભારતીય ખેલાડીઓ પર સૌની નજર રહેશે. ગત વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને કુલ 7 મેડલ જીત્યા હતા. આ વખતે ભારતના મેડલની સંખ્યામાં વધારો થવાની પૂરેપૂરી અપેક્ષા છે. BCCIએ ખેલાડીઓ માટે મદદનો હાથ લંબાવ્યો છે. બોર્ડ દ્વારા ભારતીય ઓલિમ્પિક સંઘને સહાય તરીકે 8.5 કરોડ રૂપિયાની રકમની જાહેરાત કરવામાં આવી છે.

 
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, મને એ જાહેરાત કરતા ખૂબ જ ગર્વ થાય છે કે બીસીસીઆઈએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા અમારા શ્રેષ્ઠ એથ્લેટ્સને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. અમે 8.5 કરોડ રૂપિયાની રકમ આ ખાસ ઈવેન્ટ માટે IOAને  આપી રહ્યા છીએ. હું આપણા સમગ્ર ભારતીય દળને મારી શુભેચ્છાઓ આપવા માંગુ છું, આપણા દેશનું નામ રોશન કરો,  જય હિંદ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

35 વર્ષીય ગાયકનું દુઃખદ અવસાન, લાઈવ પરફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર જીવ ગુમાવ્યો