Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાંગ્લાદેશે રોક્યો ટીમ ઈન્ડિયાનો વિજય રથ, આ રીતે હાથમાંથી ગઈ રોમાંચક મેચ

Webdunia
શનિવાર, 16 સપ્ટેમ્બર 2023 (00:50 IST)
IND vs BAN: ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપ 2023ની છેલ્લી સુપર 4 મેચમાં બાંગ્લાદેશ સામે 6 રને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે ટીમ ઈન્ડિયાને 266 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 259 રન જ બનાવી શકી હતી. જો કે આ મેચની હારથી કોઈ ફરક નહીં પડે અને ટીમ ઈન્ડિયાએ 17મીએ શ્રીલંકા સામેની ફાઈનલ મેચ પહેલા જ બુક કરી લીધી છે.

<

What a win!

Bangladesh end their #AsiaCup2023 campaign on a high by beating finalists India in the final Super 4 game #INDvBAN | https://t.co/ZOsknWbjNs pic.twitter.com/LKJJ7hdJ4b

— ICC (@ICC) September 15, 2023 >
 
ગિલની સદી એળે ગઈ
બાંગ્લાદેશ સામે ઓપનિંગ કરવા આવેલો કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે તિલક વર્મા અને ઈશાન કિશન માત્ર 5 રન અને કેએલ રાહુલ માત્ર 19 રન બનાવી શક્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવે 26 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા પણ માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ મેચ શુભમન ગિલની 121 રનની જોરદાર ઈનિંગ માટે યાદ રહેશે. ગિલે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ સિવાય અક્ષર પટેલે પણ અંત સુધી લડત ચાલુ રાખી હતી પરંતુ તે 34 બોલમાં 42 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
 
બાંગ્લાદેશે 265 રન બનાવ્યા હતા
આ પહેલા બાંગ્લાદેશની ટીમે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 265 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી કેપ્ટન શાકિબ અલ હસને સૌથી વધુ 80 રન બનાવ્યા હતા. જ્યારે તૌહીદ હૃદયે 54 રન અને નસુમ અહેમદે 44 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત પ્રસિદ્ધ કૃષ્ણ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.

 
ફાઇનલમાં શ્રીલંકાનો સાથે થશે મુકાબલો
જો કે આ મેચની ટીમ ઈન્ડિયાના અંતિમ ક્વોલિફિકેશન પર કોઈ અસર નહીં પડે. ટીમ ઈન્ડિયા એશિયા કપની ફાઈનલ મેચમાં પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમે તેની પ્રથમ સુપર 4 મેચમાં પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું. જે બાદ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું. હવે ભારતીય ટીમનો મુકાબલો 17મીએ એટલે કે રવિવારે શ્રીલંકા સામે થવાની છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

21 ઓગસ્ટે ભારત રહેશે બંધ, જાણો શુ છે કારણ, શુ ખુલશે અને કંઈ સેવાઓ રહેશે ઠપ્પ ?

કોલકતા બળાત્કાર-હત્યાના મામલે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા ગંભીર સવાલો-

કોલકત્તા પછી UP ના હોસ્પીટલમાં દૌષ્કર્મ નર્સને બંધક બનાવીને કર્યુ બળાત્કાર

કોલકતા ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

અંતરિક્ષમાં ફસાયેલાં સુનીતા વિલિયમ્સ અને વિલ્મોર માટે ખાવાનું અને બળતણ લઇને પહોંચ્યું સ્પૅસક્રાફ્ટ

આગળનો લેખ
Show comments