Webdunia - Bharat's app for daily news and videos

Install App

Asia Cup 2023 - ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને મળી આટલી ઈનામી રકમ, જાણો કોને કયો એવોર્ડ મળ્યો

Webdunia
રવિવાર, 17 સપ્ટેમ્બર 2023 (20:14 IST)
madni
ભારતીય ક્રિકેટ ટીમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં એશિયા કપ 2023નો ખિતાબપોતાને નામ કરી લીધો છે.  ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું અને 8મી વખત આ ટાઈટલ જીત્યું. આ મેચમાં પ્રથમ રમતી શ્રીલંકાની ટીમે પોતાનો ODIનો બીજો સૌથી ઓછો સ્કોર બનાવ્યો અને 50 રનમાં આઉટ થઈ ગઈ. જવાબમાં ભારતે 6.1 ઓવરમાં 10 વિકેટે મેચ જીતી લીધી હતી.

<

We Came, We Played, We Reigned #Whistle4Blue #AsiaCup #INDvSL

: Getty pic.twitter.com/zN5PAFXVvd

— Chennai Super Kings (@ChennaiIPL) September 17, 2023 >
આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો મોહમ્મદ સિરાજ રહ્યો હતો, જેણે 21 રનમાં 6 વિકેટ ઝડપી હતી. જો આ ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર અને લીડિંગ વિકેટ લેનાર બોલરની વાત કરીએ તો શ્રીલંકાની મેથિસા પથિરાના 11 વિકેટ સાથે ટોપ પર રહી. જ્યારે મોહમ્મદ સિરાજ 5 મેચમાં 10 વિકેટ લઈને ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. જ્યારે કુલદીપ યાદવે 5 મેચમાં 9 વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ બન્યો. આ સિવાય બેટિંગમાં શુભમન ગિલ 302 રન બનાવીને ટૂર્નામેન્ટનો ટોપ સ્કોરર બન્યો હતો. હવે ચાલો એક પછી એક જાણીએ કે કોને કયો એવોર્ડ મળ્યો. 
 
ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ- મોહમ્મદ સિરાજ (5000 યુએસ ડોલર અંદાજે 4 લાખ 15 હજાર રૂપિયા)
પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ- કુલદીપ યાદવ (15000 યુએસ ડોલર અંદાજે 12 લાખ 46 હજાર રૂપિયા)
શ્રીલંકા ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટાફ એવોર્ડ (50000 યુએસ ડોલર આશરે 41 લાખ 54 હજાર રૂપિયા)
 
ટીમ ઈન્ડિયાને કેટલી ઈનામી રકમ મળી?
ભારતીય ટીમ આ ટુર્નામેન્ટ જીતીને 8મી વખત એશિયા કપની ચેમ્પિયન બની છે. આ ટૂર્નામેન્ટમાં આખી ટીમને 1 લાખ 50 હજાર યુએસ ડોલર એટલે કે અંદાજે 1 કરોડ 24 લાખ 63 હજાર રૂપિયાની ઈનામી રકમ મળી છે જે ટીમ ઈન્ડિયાને મળી છે. જ્યારે રનર અપ શ્રીલંકાની ટીમને 75 હજાર યુએસ ડોલર એટલે કે લગભગ 62.31 લાખ રૂપિયા મળ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments