Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિદેશમાં ફસાયેલા 1958 ગુજરાતીઓને વતન લવાયા

Webdunia
ગુરુવાર, 28 મે 2020 (14:30 IST)
કોરોના વાઇરસના સંક્રમણની વૈશ્વિક સ્થિતિમાં વિશ્વના વિવિધ દેશોમાં ફસાયેલા 1958 જેટલા ગુજરાતીઓને ‘વંદે ભારત’ મિશન હેઠળ ગુજરાતમાં પરત લાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, કોરોનાની મહામારીમાં અન્ય દેશોમાં અભ્યાસ કરવા ગયેલા અને ત્યાં અટવાઇ ગયેલા વિદ્યાર્થીઓને પોતાના વતનમાં પરત લાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા વંદેભારત મિશન શરૂ કર્યું છે. સાથે વેપાર- વાણિજ્ય કે પ્રવાસે ગયેલા ગુજરાતી મૂળના લોકોને પણ વતન પરત લાવવામાં આવી રહ્યા છે.  અત્યાર સુધીમાં વિશેષ ફ્લાઇટ દ્વારા યુએસએથી 135, કુવૈતથી 146, ફિલિપાઇન્સથી 155, યુકેથી 303, મલેશિયાથી 48, ઇન્ડોનેશિયાથી 38, ઓસ્ટ્રેલિયાથી 217, કેનેડાથી 176 મળીને કુલ 1958 લોકો ગુજરાત પરત ફર્યા છે. મિશનના બીજા તબક્કામાં યુએઇ, ઓમાન, કતાર, કુવૈત, યુકે અને યુએસએથી વધુ ફ્લાઇટ 29 મેથી 9 જૂન સુધીમાં આવશે, જેમાં વધુ 1869 ગુજરાતીઓ પોતાના વતનમાં પરત આવશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments