Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાની આ દવાને DCGIથી મળી અનુમતિ, એક ટેબલેટની કિમંત છે માત્ર 59 રૂપિયા

Webdunia
શુક્રવાર, 24 જુલાઈ 2020 (18:27 IST)
ક્રોરોના વાયરસની સૌથી સસ્તી દવા બની ચુકી છે. તેને બજારમાં લાવવાની અનુમતિ પણ એક દવા કંપનીને મળી ગઈ છે. આ દવાને બજારમાં લાવવા માટે ડ્ર્ગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈંડિયા(DCGI)થી દવા કંપનીને અનુમતિ મળી ચુકી છે. આ દવાની એક ટેબલેટ માત્ર 59 રૂપિયામાં મળશે. 
 
આ દવાનુ નામ છે ફૈવીટૉન (Faviton), આ બનાવ્યુ છે બ્રિન્ટન ફાર્માસ્યૂટિકલ્સે કંપનીનો દાવો છે કે આ એંટીવાયરલ ડ્રગ છે જે કોરોના વાયરસ સામે લડવામાં કોરોના દર્દીઓની મદદ કરશે. આ દવાને ફૈવીપિરાવીર (Favipiravir) ના નામથી પણ બજારમાં વેચવામાં આવે છે. 
 
ફાઇનાન્સિયલ એક્સપ્રેસ અનુસાર, બ્રિન્ટન ફાર્માએ કહ્યું છે કે ફેવિટોન 200 મિલિગ્રામની ટેબલેટમાં આવશે. એક ટેબ્લેટની કિંમત 59 રૂપિયા છે. આ કિંમત મહત્તમ છૂટક કિંમત રહેશે. આ દવા વધુ કિંમતે વેચવામાં આવશે નહીં.
 
બ્રિન્ટન ફાર્માના સીએમડી રાહુલ કુમાર દરડાએ જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે આ દવા દેશના દરેક કોરોના દર્દીને આપવામાં આવે. અમે દરેક કોવિડ સેન્ટરમાં પહોંચાડીશુ.  અમારી દવાના ભાવ પણ ફિક્સ છે. આ એક સસ્તી દવા છે.
 
કંપનીએ કહ્યું છે કે આ સમયે ફૈવીપિરવીરની દવાની દરેકને જરૂર છે. આ દવા એવા દર્દીઓ માટે શ્રેષ્ઠ છે કે જેમને કોરોનાનુ સાધારણ કે મધ્યક સંક્રમણ છે. 
 
ભારતમાં ફૈવીપિરવીર (Favipiravir)ને ડીસીજીઆઈ એ કોરોનાવાયરસની કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને જૂન મહિનામાં મંજૂરી આપવામાં આવી હતી. હવે તતેને બજારમાં લાવવાની પરવાનગી મળી છે.
 
બ્રિન્ટન ફાર્મા જાપાનની ફૂજીફિલ્મ તૉયોમા કેમિકલ કંપની સાથે એવીગન નામની દવા બનાવી રહી છે. આ દવા ફૈવીટૉનનુ જેનેરિક વર્ઝન છે. 

સંબંધિત સમાચાર

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments