suvichar

એક સર્વેમાં બહાર આવ્યું કે આટલા ટકા ગુજરાતીઓને કોરોનાની કોઈ ચિંતા જ નથી

Webdunia
મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (14:39 IST)
કોવિડ મહામારીના વધતા આક્રમણ પાછળ કેટલાંક લોકોની બેદરકારી પણ જવાબદાર ગણાવવામાં આવી રહી છે. જ્યારે એક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે ગુજરાતના 13.75 ટકા લોકો બેફીકર છે અને કોરોના ચેપ લાગવાની કોઇ ચિંતા રાખ્યા વિના છુટથી હરેફરે છે. કોરોના મહામારી, લોકડાઉન અને ત્યારપછીની લોકોની માનસિક-શારીરિક હાલતનો અંદાજ મેળવવા માટે સર્વે અભ્યાસ હાથ ધરવામાં ાવ્યો હતો તેમાં ગુજરાતના 13.75 ટકા લોકોએ એમ કહ્યું કે કોરોનાની કોઇ ચિંતા નથી. રાજ્યમાં 1098 લોકોને આવરી લઇને હાથ ધરાયેલા આ સર્વેમાં 13075 ટકા લોકો કોરોના મામલે એકદમ બેફીકર માલુમ પડ્યા હતા. જ્યારે 52.8 ટકા લોકોએ ચેપ લાગવાની થોડીગણી બીક રહેતી હોવાનું સ્વીકાર્યું હતું. 33 ટકા લોકો ભયભીત માલુમ પડ્યા હતા. નોકરી કે ઓફીસ જતી વખતે કે ઘેર પરત આવતી વખતે અથવા તો લોકોના સંપર્કમાં આવતી વખતે કોરોનાનો ચેપ લાગવાની બહુ જ બીક લાગે છે. સર્વે દરમિયાન જુદા-જુદા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. 82 ટકા લોકોએ કહ્યું હતું કે લોકડાઉન દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં પણ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે માત્ર 17 આ લોકોમાં એમ કહ્યું હતું કે લોકડાઉન સરળ રહ્યું. કોઇ તકલીફ પડી ન હતી. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે અવરજવર બહાર નીકળવા પર પ્રતિબંધ હતો. આર્થિક ગતિવિધિઓ ઠપ્પ બની હતી. એટલે નાણાંકીય સંકટનો સામનો કરવો પડયો હતો. 58 ટકા લોકોએ સ્વીકાર્યું કે બદલાયેલા સંજોગોમાં ખર્ચમાં કાપ મુકવામાં આવ્યો છે. 53 ટકા લોકોએ કહ્યું કે પરિવાર સાથે વધુ સમય પસાર કરવા મળતા પારિવારિક મૂલ્યોમાં વૃધ્ધિ થઇ હતી. સાથોસાથ માનસિક હાલતમાં સુધારો થયો હતો. 40 ટકા લોકોએ શારીરિક હાલત સુધરી હોવાનું કહ્યું હતું. જો કે, 19 ટકા લોકોએ માનસિક-શારીરિક હાલત ખરાબ થયાનું કહ્યું હતું.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

આગળનો લેખ
Show comments