Webdunia - Bharat's app for daily news and videos

Install App

..તો મે મહિના અંત સુધી કોરોના મુક્ત બની જશે અમદાવાદ

Webdunia
બુધવાર, 22 એપ્રિલ 2020 (12:09 IST)
અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી વધી રહેલા કોરોનાના કેસો હવે નિયંત્રણમાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગત બે દિવસમાં છેલ્લા અઠવાડિયાની સરખામણીમાં ઓછા કેસો નોંધાયા છે. અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે, મે મહિનાના અંત સુધીમાં કોરોના ઉપર કાબુ મેળવી લેવામાં આવશે પરંતુ તેના માટે અમદાવાદીઓનો સાથ અને સહકાર જરૂરી છે. અમારું તંત્ર રાત દિવસ આ રોગને નાથવા અથાગ પ્રયાસ કરી રહ્યું છે.
 
દિવસે દિવસે વધતા જતા કોરોનાના કેર વચ્ચે અમદાવાદના કોટ વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પરંતુ જે વિસ્તારમાં કર્ફ્યુ નથી ત્યાં લોકો લોકડાઉનનું પણ પાલન કરી રહ્યા નથી. જેને કારણે આવા વિસ્તારોમાં કેસો નોંધાઈ રહ્યા છે. જેથી લોકો સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરે અને ઘરમાંથી બહાર નહીં નીકળે તો આવનારા દિવસો સુરક્ષિત હશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
 
વિજય નેહરાએ વધુમાં જણાવ્યું કે, જો તમારો સાથ અને સહકાર મળતો રહેશે તો આપણે મે મહિનામાં કોરોના પર નિયંત્રણ મેળવી લઈશું. જેના માટે 3 મે સુધી લોકડાઉનનું કડક પાલન કરવું જરૂરી છે. તેમજ નીતિન શાહ નામના દર્દીને 10 દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમને ડાયાબિટીસ અને હાયપર ટેન્શન હતા. તેમને વેન્ટીલેટર હટાવ્યા બાદ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા અને બેવાર કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કર્યાં છે.

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments