Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

ગુજરાતના આ 3 શહેરોમાં 24 એપ્રિલ સુધી લંબાવાયો કરર્ફ્યૂ

અમદાવાદ
, મંગળવાર, 21 એપ્રિલ 2020 (15:48 IST)
અમદાવાદ, સુરત અને રાજકોટમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાને લઈને કર્ફ્યુ આગામી તારીખ 24  એપ્રિલ  સવારના 6.00 કલાક સુધી યથાવત રહેશે.
 
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ ત્રણેય શહેરોમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તે અંગે ચિંતા વ્યકત કરીને જરૂરી પરામર્શ કર્યો હતો. 
 
આ શહેરોના જે વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું છે તેવા વિસ્તારમાં સંક્રમણ ઝડપથી અટકે અને અન્ય વિસ્તારમાં ન પ્રસરે તે માટે નાગરિકોના આરોગ્યની ચિંતા કરીને આ કર્ફ્યુની મુદત આગામી તા.24  એપ્રિલ સવારના 06.00 કલાક સુધી લંબાવવાનો મહત્વ નિર્ણય કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાને કાબૂમાં લેવા સરકારે ખેલ્યો નવો ખેલ, આ 8 IAS અધિકારીઓને સોંપી જવાબદારી