Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં કોરોનાનું મોજું યથાવત, નવા 1560 કેસ અને 16 લોકોના મોત

Webdunia
શુક્રવાર, 27 નવેમ્બર 2020 (10:41 IST)
રાજ્યમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે. રાજ્યમાં ગુરૂવારે કોરોના સંક્રમણના નવા 1560 કેસ સામે આવ્યા છે અને 16 લોકોના મોત થયા છે.  જોકે રાજ્યમાં આજે 1302 લોકો સાજા  પણ થયા છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં નોંધાયેલા 16 મોતમાં સૌથી વધુ અમદાવાદમાં 12 લોકોના મોત થયા છે. સુરતમાં 3 અને વડોદરામાં 1 વ્યક્તિનું મોત થયું છે.  
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 337 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 231, વડોદરા શહેરમાં 140, રાજકોટ શહેરમાં 87, પાટણમાં 64, સુરત ગ્રામ્ય 58, રાજકોટ ગ્રામ્ય 51, બનાસકાંઠા, 41, મહેસાણા 40, વડોદરા ગ્રામ્ય 40, ગાંધીનગર 36, ગાંધીનગર શહેર 34, પંચમહાલ 29, આણંદ 28, ખેડા 28, જામનગર શહેર 27, મહીસાગર 26, અમદાવાદ ગ્રામ્યમાં 24 કેસ નોંધાયા છે. 
 
ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 75,51,609 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 2,03,509 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અત્યાર સુધી 3,922 લોકોના કોરોના સંક્રમણના લીધે મોત થયા છે.  
 
રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં અત્યાર સુધી કુલ 1,85,058 લોકો સાજા થયા છે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 14,529 એક્ટિવ કેસ છે જેમાંથી 92 લોકોની હાલત નાજુક છે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. . ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં 75 લાખ 51 હજાર 609 કોરોના ટેસ્ટ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 90.93 ટકા છે. તો ગુજરાતમાં 5 લાખ 5 હજાર 648 લોકો ક્વોરેન્ટાઈન છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments