Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કન્ટેનમેન્ટ ઝોનમાં કોરોના કંટ્રોલમાં આવ્યો હોવાનો સંકેત

Webdunia
શનિવાર, 13 જૂન 2020 (19:20 IST)
ગુજરાતમાં એક ત૨ફ કોરોનાના સંક્રમણમાં રોજ ૪૦૦થી વધુ કેસ અને છેલ્લા સપ્તાહમાં બે વખત પ૦૦ પ્લસ કેસ નોંધાયા તથા રાજયના નવા વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધવા લાગ્યુ છે તે વચ્ચે અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોનમાં કોરોનાના નવા કેસમાં જે ઘટાડો થયો છે તે તિવ્ર ઘટાડો થયો છે તે પણ રાહતરૂપ સમાચા૨ છે અને રાજયમાં એકટીવ કેસ પણ ઘટવા લાગ્યા છે. ગઈકાલે કોરોનાના વધુ ૪૯પ કેસ નોંધાયા છે અને આ ૨ીતે રાજયમાં કુલ ૨૨પ૬પ પોઝીટીવ કેસ નોંધાયા છે પરંતુ તેમાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ૬૮.૭ થઈ છે અને કુલ ૧પપ૦૧ લોકોને સા૨વા૨ બાદ ૨જા આપવામાં આવી છે અને હાલ એકટીવ કેસ ફક્ત પ૬૪૧ છે જે કુલ કેસના ૨પ ટકા છે. પરંતુ રાજયનો ઉંચો મૃત્યુઆંક હજુ પણ ચિંતાનો વિષય છે ગઈકાલે વધુ ૩૧ લોકોના મૃત્યુ થયા હતા અને તે સાથે ૧૪૧૬ લોકો ગુજરાતમાં કોરોનાના બલી ચડી ગયા છે. અમદાવાદમાં સૌથી વધુ ૨૨ મૃત્યુ નોંધાયા છે, રાજયમાં પ્રથમ વખત અન્ય રાજયોમાંથી આવેલા વ્યક્તિનું મૃત્યુ થયું છે જે મુળ ગુજરાતના વતની નથી. અમદાવાદમાં કુલ ૧૧૩૯ લોકોના મૃત્યુ થયા છે જે કુલ મૃત્યુના ૮૦.૪ ટકા છે. જોકે રાજયમાં ૧૦ મુખ્ય કન્ટેનમેન્ટ ઝોન છે ત્યાં કોરોના પોઝીટીવ કેસમાં છેલ્લા એક સપ્તાહમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં સેન્ટ્રલ ઝોન કે જયાં શરૂઆતથી કોરોનાના સૌથી વધુ કેસ હતા ત્યાં એપ્રિલ-૨૭ થી મે-૩ વચ્ચે કુલ ૧૦૮૨ કોરોનાના કેસ નોંધાયા હતા. પરંતુ હવે તા.૧ થી ૭ જુન વચ્ચે ફક્ત ૩૭૬ કેસ નોંધાયા છે. રાજયમાં તેના માટે કન્ટેનમેન્ટ ઝોનમાં જે આક૨ી ગાઈડલાઈન અમલમાં મુક્વામાં આવી છે તે સફળ થઈ ૨હી હોવાનો દાવો અમદાવાદમાં કોરોના કંટ્રોલ ઈન્ચાર્જ અને રાજયના એડીશ્નલ મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તાએ ર્ક્યો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના ડેટા મુજબ કન્ટેનમેન્ટ ઝોનમાં ચા૨ સપ્તાહમાં કેસ સતત ઘટયા છે. તા.૩ મેથી શરૂ થતા સમયમાં પ્રથમ સપ્તાહમાં ૯૨૭, બીજા સપ્તાહમાં ૧૦૦પ, ત્રીજા સપ્તાહમાં પ૦પ અને ચોથા સપ્તાહમાં ૪૨૯ કેસ નોંધાયા છે. જયા૨ે તા.૮ થી ૧૧ દ૨મ્યાન ફક્ત ૧૮૬ કેસ નોંધાયા છે. અમદાવાદના જમાલપુ૨, ખાડીયા, દ૨ીયાપુ૨, શાહપુ૨, સ૨સપુ૨ સહિતના વિસ્તારોમાં કેસ ઘટયા છે તે રાહતની બાબત છે. અમદાવાદમાં હાલમાં ૩૦૦ સેમ્પલ લેવાયા હતા. અને તેમાં હર્ડ ઈમ્યુનિટી સર્જાય છે કે કેમ તે જોવા પ્રયત્ન થયો છે. જોકે હજુ તેના પિ૨ણામ જાહે૨ થયા નથી.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments