Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોણ છે આર્યન ખાનનો વકીલ Satish Maneshinde, જાણો કેટલી છે તેમની એક દિવસની ફી ?

Webdunia
સોમવાર, 4 ઑક્ટોબર 2021 (14:38 IST)
શાહરૂખ ખાને(Shah Rukh Khan)  પોતાના પુત્ર આર્યન ખાન(Aryan Khan)ની ડ્રગ્સ મામલે ઘરપકડ કર્યા બાદ તેનો કેસ લડવા માટે એક જાણીતા અને સૌથી મોંઘા વકીલ સતીશ માનશિંદે(Satish Maneshinde)ને પસંદ કર્યો છે. 
 
આર્યન ખાનની રવિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(Narcotics Control Bureau)માં મુંબઈમાં ક્રૂઝ પર રેવ પાર્ટી(Mumbai cruise rave party)માં ધરપકડ કરવામાં આવી હતી. NCB દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપો સામે સતીશ માનશિંદે કોર્ટમાં આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કરશે. તમને જણાવી દઈએ કે આ પહેલા સતીશ માનશિંદે બોલીવુડના ઘણા હાઈપ્રોફાઈલ કેસ લડી ચૂક્યા છે.
 
 સતીશ માનશિંદેએ જ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સંબંધિત ડ્રગ્સ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી(Rhea Chakraborty)નો બચાવ કર્યો હતો. આ પહેલા તેઓ સંજય દત્ત (Sanjay Dutt)1993 ના મુંબઈ વિસ્ફોટનો કેસ પણ લડી ચૂક્યા છે. આ થોડા મામલાઓ પરથી અંદાજ લગાવી શકાય છે કે સતીશ માનશિંદે એક મોંઘા વકીલ છે. તેમની ફી કેટલી હશે? સતીશ માનશિંદેએ જ સલમાન ખાન(Salman Khan)નો કાળા હરણનો કેસ લડ્યો હતો અને અભિનેતાને જામીન અપાવ્યા હતા.
 
જાણો કોણ છે સતીશ માનશિંદે
 
જોવા જઈએ તો સતીશ માનશિંદે એક રીતે બોલિવૂડના 'સંકટમોચક' બની ગયા છે. સતીશ માનશિંદે(Who is Satish Maneshinde કોણ છે, તેની ફી (Satish Maneshinde fees per day per case) કેટલી છે અને તે દેશના લગભગ તમામ હાઇ-પ્રોફાઇલ કેસો માટે ટોચના વકીલ કેવી રીતે બન્યા.
 
રામ જેઠમલાનીના જૂનિયર વકીલના રૂપમાં કરી શરૂઆત 
 
સતીશ માનશિંદે કર્ણાટકના ધારવાડના રહેવાસી છે. લૉનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે મુંબઈ આવ્યા. તેમને દેશના ટોચના વકીલોમાંથી એક સ્વ.રામ જેઠમલાણી (Ram Jethmalani) ના જુનિયર વકીલ તરીકે વર્ષ 1983 માં કામ શરૂ કર્યું. 10 વર્ષ સુધી તેમણે રામ જેઠમલાણીના માર્ગદર્શન હેઠળ કામ કર્યું. આ દરમિયાન, તેમણે સિવિલ અને ક્રિમિનલ લૉ ની ઝીણવટાઈ પણ શીખી અને ત્યારબાદ નેતાઓથી લઈને અભિનેતાઓ સુધીના કેસ હેંડલ કર્યા. 
 
સંજય દત્તનો કેસ લડ્યો
સતીશ માનશિંદે સૌપ્રથમ પ્રસિદ્ધિમાં આવ્યા હતા જ્યારે તેમણે 1993 ના મુંબઈ બ્લાસ્ટમાં બોલીવુડ અભિનેતા સંજય દત્ત(Sanjay Dutt)નો કેસ લડ્યો હતો. એવું કહેવાય છે કે સતીશ માનશિંદેએ જ સંજય દત્તને તે કેસમાં જામીન અપાવ્યા હતા. ત્યારબાદથી સતીશ માનશિંદે દેશના હાઇ-પ્રોફાઇલ કેસો માટે સૌથી અસરકારક વકીલ તરીકે ઓળખાવા લાગ્યા. 
 
10 લાખ પ્રત્યેક હિયરિંગ ફીસ પર એવુ બોલ્યા હતા માનશિંદે 
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સતીશ માનશિંદે સુનાવણી માટે 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે. એટલે કે, તેમની રોજની  ફી 10 લાખ રૂપિયા છે. જ્યારે રિયા ચક્રવર્તીએ આટલા મોંઘા વકીલને સાઈન કર્યા ત્યારે સવાલો ઉભા થયા કે તે આટલા પૈસા ક્યાંથી લાવી રહી હતી. ત્યારે સતીશ માનશિંદેએ  (Satish Manshinde on his fees)પણ તેમની  ફી અંગેની અટકળો પર પ્રતિક્રિયા આપી હતી, તેમણે ગયા વર્ષે 'ઝૂમ' ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જે લેખના આધારે તેમની ફી 10 લાખ બતાવાત રહી છે તે 10 વર્ષ જૂનો છે અને જો તેમની ફી તે પ્રમાણે જોવામાં આવે તો આજના હિસાબે તે ઘણી વધુ થશે વધારે. સતીશ માનશિંદેએ એ પણ કહ્યું હતું કે તે પોતાના ક્લાયંટ્સ પાસેથી જે પણ ફી લે છે તેનાથી કોઈને મતલબ ન હોવો જોઈએ. 
 
શાહરુખ ખાને ડ્રગ્સ કેસમાં પોતાના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ  તેના કેસનો બચાવ કરવા માટે આ  પ્રખ્યાત વકીલ સતીશ માનશિંદેની પસંદગી કરી છે. 

સંબંધિત સમાચાર

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

24 એપ્રિલ - આજે આ 4 રાશિને સાંજે કોઈ સારા સમાચાર મળશે

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

આગળનો લેખ
Show comments