Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા પીએમ મોદીના ગુરૂ આશ્રમ, સોશિયલ મીડિયા પર છવાઈ PHOTOS

Webdunia
મંગળવાર, 31 જાન્યુઆરી 2023 (17:38 IST)
Virat Kohli Anushka Sharma Dayanand Giri Ashram: અનુષ્કા શર્મા અને તેમના પતિ અને પૂર્વ ભારતીય કપ્તાન વિરાટ કોહલી તાજેતરમાં ઋષિકેષ પહોચ્યા. જ્યારબાદ હવે સેલિબ્રિટી કપલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની ટેસ્ટ સીરિઝ પહેલા ઋષિકેશમાં સ્વામી દયાનંદ આશ્રમમાં સ્વામી    દયાનંદજી મહારાજની સમાધિ પર જઈને આશીર્વાદ લીધા. હવે બંનેની અનેક તસ્વીરો વાયરલ થઈ રહી છે.  જેમા અનુષ્કા અને વિરાટ આશ્રમમાં પૂજા કરતા જોવા મળી રહ્યા છે. 

<

Virat Kohli and Anushka Sharma organised a Bhandara in Rishikesh are spotted taking blessings from Saints
That's Beauty of Sanatan Dharma pic.twitter.com/03XnmQrOq1

— Simmu (@meownces) January 31, 2023 >
 
એવુ કહેવાય છે કે સ્વામી દયાનંદજી મહારાજ પીએમ નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક ગુરૂ હતા. આ ધ્યાન આપનારી વાત છે કે વિરાટે ટી20માંથી બ્રેક લીધો છે અને તેથી તેઓ ન્યુઝીલેંડની વર્તમાનમાં ચાલી રહેલી શ્રેણીમાં રમી રહ્યા નથી. સાથે જ સમાચારનુ માનીએ તો વિરાટ અને અનુષ્કા દયાનંદ ગિરિ આશ્રમમાં ભંડારો આયોજીત કરવાની યોજના બનાવી રહ્યા છે. 
 
નીમ કરોલી આશ્રમ પણ ગયા 
 
વિરાટ અને અનુષ્કાની ઋષિકેશ યાત્રાના થોડા દિવસ પછી બંનેયે પોતાની પુત્રી વામિકા સાથે વૃંદાવનના એક આશ્રમમાં આશીર્વાદ માંગ્યા. તેમણે આ અઠવાડિયાની શરૂઆતમાં વૃંદાવનમાં બાબા નીમ કરોલી આશ્રમનો પ્રવાસ કર્યો અને લગભગ એક કલાક સુધી આશ્રમમાં રહ્યા અને બાબાની સમાધિના દર્શન ઉપરાંત કુટિયા(ઝૂપડી)માં ધ્યાન લગાવ્યુ. રિપોર્ટ મુજબ તેમણે આશ્રમમાં ધાબળાનુ દાન પણ કર્યુ. ઉલ્લેખનીય છે કે અનુષ્કાની ફેમિલી બાબા નીમ કરોલીના અનુયાયી રહ્યા છે.  
 
બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023
 
ક્રિકેટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા આગામી થોડા દિવસોમાં ચાર મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતના પ્રવાસે આવવાની છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023 તરીકે જાણીતી, આ શ્રેણી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચના બે સ્થાનો નક્કી કરવા માટે નિર્ણાયક બની રહેશે. ટોચની ટીમો જૂનમાં ઓવલ ખાતે રમાનારી વન-ઑફ ચેમ્પિયનશિપ ગેમ માટે પ્લેઓફમાં સ્થાન મેળવશે. શ્રેણી 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થશે જ્યારે ODI 17 માર્ચથી મુંબઈમાં શરૂ થશે.
 
અનુષ્કા શર્મા આ ફિલ્મમાં જોવા મળશે

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments