Webdunia - Bharat's app for daily news and videos

Install App

Singer Bhupendra Singh Passes Away: દિગ્ગજ ગાયક ભૂપિન્દર સિંહનુ 82 વર્ષની વયે નિધન, આજે થશે અંતિમ સંસ્કાર

Webdunia
મંગળવાર, 19 જુલાઈ 2022 (00:06 IST)
સોમવારે રાત્રે મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પીઢ પ્લેબેક સિંગર ભૂપિન્દર સિંહનું મુંબઈમાં નિધન થયું છે. તેમની પત્ની અને ગાયિકા મિતાલી સિંહે મહાન ગાયિકાના નિધનની માહિતી આપી હતી.  ભૂપિન્દર સિંહ તેમના ભારે અવાજ માટે જાણીતા છે. તેણે બોલિવૂડના ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો. સોમવારે સાંજે ગાયકના નિધન વિશે માહિતી આપતાં, તેમની પત્ની મિતાલીએ કહ્યું કે "તે છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા".
 
ગાયકે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સૂત્રોના જણાવ્યા મુજબ, સંગીત નિર્દેશક ઉત્તમ સિંહે કહ્યું કે ભૂપિંદરના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે 11.30 વાગ્યે ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવશે. ભૂપિન્દર સિંહ બોલિવૂડમાં તેમના ઘણા પ્રખ્યાત ગીતો માટે જાણીતા છે. તેમણે "મૌસમ", "સત્તે પે સત્તા", "આહિસ્તા આહિસ્તા", "દૂરિ", "હકીકત" અને બીજી ઘણી ફિલ્મોના ગીતોને પોતાનો અવાજ આપ્યો.
 
તેમના કેટલાક પ્રખ્યાત ગીતો વિશે વાત કરીએ તો, “હોકે મજબૂર મુઝે, ઉસને બુલાયા હોગા”, “દિલ ઢંઢતા હૈ”, “દુકી પે દુકી હો યા સત્તે પે સત્તા” જેવા ગીતો આજે પણ લોકોના મોઢે છે. ભૂપિન્દર સિંહ એક પ્રખ્યાત ભારતીય સંગીતકાર અને મુખ્યત્વે ગઝલ ગાયક હતા. તેમણે બાળપણમાં તેમના પિતા પાસેથી ગિટાર વગાડવાનું શીખ્યુ હતુ. દિલ્હી આવ્યા પછી, તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો માટે એક ગાયક અને ગિટારવાદક તરીકે કામ કર્યું. સંગીતકાર મદન મોહને તેમને 1964માં પહેલો મોટો બ્રેક આપ્યો હતો.
 
ભૂપેન્દ્ર સિંહનો જન્મ 6 ફેબ્રુઆરી 1940ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના પિતા પ્રોફેસર નત્થા સિંહ પણ એક મહાન સંગીતકાર હતા. 1978માં રિલીઝ થયેલી એક ફિલ્મમાં ગુલઝાર દ્વારા લખાયેલા ગીત 'વો જો શહર થા'થી તેમને લોકપ્રિયતા મળી હતી. ભૂપેન્દ્રએ 1980માં બંગાળી ગાયિકા મિતાલી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. જોકે, બંનેને કોઈ સંતાન નથી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

સંબંધિત સમાચાર

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

આગળનો લેખ
Show comments