Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યા વિવાદ : મધ્યસ્થતા નિષ્ફળ, હવે 6 ઑગસ્ટથી સુનાવણી, શું છે સમગ્ર મામલો?

Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (18:31 IST)

અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે 6 ઑગ્સ્ટથી ખુલી અદાલતમાં સુનાવણી થશે.

આ સાથે જ કોર્ટે કહ્યું છે કે મધ્યસ્થતા કરનારી સમિતિ સફળ થઈ નથી. રામજન્મભૂમિ મામલા પર બનાવવામાં આવેલી સમિતિમાં સહમતી બની શકી નથી.

સુપ્રીમ કોર્ટ દ્વારા આ સમિતિ 8 માર્ચના રોજ રચવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ ખલીફુલ્લા, વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સામેલ હતા.

હિંદુ અને મુસ્લિમ પક્ષકારો વચ્ચે સહમતિ બનાવવા માટે અયોધ્યા મધ્યસ્થતા સમિતિને 31 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

અલાહાબાદ હાઈકોર્ટે આપેલા 2010માં આ મામલે આપેલા ચુકાદા પર હવે દરરોજ સુનાવણી થશે.

આ સમિતિએ બંધ પરબીડિયામાં પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો.

સંબંધિત સમાચાર

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments