Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ramlalla Darshan- રામલલાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ, થોડા સમય માટે દરવાજા બંધ

Webdunia
મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (14:53 IST)
- રામલલાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ
- થોડા સમય માટે દરવાજા બંધ હતા
- વધતી ભીડ અંગે નિર્ણય લેવાયો
 
રામ મંદિરમાં પ્રવેશ બંધ- અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં હાજર રામ લલ્લાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે. વધતી ભીડને જોતા મંદિર પ્રશાસને થોડા સમય માટે મંદિરના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
 
સવારથી જ હજારો ભક્તો રામ મંદિર પરિસરમાં રામલલાના દર્શન કરવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. સુરક્ષા કર્મચારીઓને પણ તેમને સંભાળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રામલલાના દર્શન કરવા માટે કેવી રીતે ભક્તોની ભીડ ઉમટી છે.
 
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર રામલલાના દર્શન દરરોજ સવારે 7 વાગ્યાથી શરૂ થશે. મંદિર સંકુલ દિવસભર 9 કલાક ખુલ્લું રહેશે. સવારે 7 થી 11.30 અને પછી બપોરે 2 થી 7 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. દિવસમાં બે વખત રામલલાની આરતી કરવામાં આવશે. ભક્તોને આરતીમાં હાજરી આપવા માટે પાસ આપવામાં આવશે. પાસ માટે કોઈ ફી રહેશે નહીં. આરતીમાં એક સાથે માત્ર 30 લોકો જ ભાગ લઈ શકશે. સરકારી ID સાથે, પાસ જન્મભૂમિ સંકુલમાં આવેલી ઓફિસમાંથી અથવા ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકાય છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments