rashifal-2026

વળગાડ જેવી ઘટનાઓ શું છે.

Webdunia
શનિવાર, 3 ઑક્ટોબર 2015 (16:00 IST)
વળગાડ જેવી ઘટનાઓ પર ક્યાં તો ખબર હોવા છતાં મૌન સેવાતું હોય છે અથવા એના વિશે હોલિવુડની ફિલ્મો પૂરતી જ માહિતી રાખવામાં આવતી હોય છે. એવું પણ નથી કે, વળગાડને કાઢવા માટેનાં સ્પેશિયલ ભૂવા-ઓલિયા કે પૂજારીઓ આપણે ત્યાં હોતા નથી પણ આજનાં સમયમાં વળગાડ, મેલી વિદ્યા અને શરીરનું કોઈ ખરાબ આત્માથી ‘પઝેઝ્ડ’ થઈ જવું એ વાત જ એટલી ગળે ન ઉતરે. તો શું છે એક્સૉસિઝમ, હોલિવુડની 1973થી શરું થયેલી ‘એક્સૉસિસ્ટ ’ સિરીઝથી આમ તો આછો પાતળો ખ્યાલ એક સામાન્ય માણસને પણ આવી જાય. આટલા વર્ષોમાં વળગાડ એ કાયમ અછૂતો અને કુતૂહલનો વિષય રહ્યો છે. ભાઈ, રૂટિન લાઈફનો સ્ટ્રેસ જ માણસને અડધો પાગલ બનાવી નાખે છે અને એમાં પણ ક્યારેક થોડું પણ સાયકોટિક બિહેવિયર એ આવી મિસ્ટિક અને લોજિકથી પરે બાબતોની નજીક લઇ જતું હોય છે.

વળગાડ વિશે સાચું ખોટુ લખાતું રહે છે, પણ ફોડ પાડીને કોઈ કંઈ નક્કર કહી શકતું નથી. એક્સૉસિઝમ પરની ફિલ્મો જોઈને જોઈને સાચી ખોટી માહિતી દિમાગની હાર્ડડિસ્કમાં જગ્યા રોકતી રહે છે. એટલે જ આજે 'હોરર કાફે' તમને લઈ જાય છે એ વળગાડની દુનિયામાં જ્યાં કહેવાતી ખરાબ આત્માઓએ કોઈ શરીરને ‘પઝેશ’ કરી લીધું છે, એનો કબજો લઈ લીધો છે. ક્યારેક સમાજમાં બદનામીનાં ડરથી તો ક્યારેક બીકથી પણ વળગાડ વિશે કોઈ ખૂલીને વાત કરવા તૈયાર નથી. અહીં લખેલી જગ્યાઓ અને બનાવો કાલ્પનિક નથી, પણ એને માનવા ન માનવા એ અંગત ચોઈસનો પ્રશ્ન છે. વળગાડની પરિસ્થિતિ વિશે મેડિકલ સાયન્સ એમ માને છે કે આ એપિલેપ્સી(વાઈ)થી લઈ હિસ્ટીરિયા કે સ્કિઝોફ્રેનિયા પણ હોઈ શકે છે. એમ તો ગ્રીકમાં ‘મોનોમેનિયા’ જેવો એક પરિસ્થિતિ વાચક શબ્દ છે, જેમાં માણસ પોતે એવું ધારે છે કે એના શરીર પર એક કે એકથી વધુ આત્માઓનો કબજો છે! આજે ભારતનાં કેટલાક એવા ધર્મસ્થાનોની મુલાકાત લઈએ, જ્યાં પ્રેક્ટિકલી એક્સૉસિઝમ પરફોર્મ કરવામાં આવે છે!

રાજસ્થાનનાં દૌસા જિલ્લાનાં મહેંદીપુરમાં આવેલા આ મંદિર વિશે જાતભાતની વાતો સાંભળેલી. અમે દોસ્તો એકબીજા પર હસતા હતા, ‘શું યાર ભૂતબૂત અને વળગાડ જેવી બોગસ વાતો કરો છો યાર 2015માં?’ દૌસા રેલવે સ્ટેશન પર ઉતર્યા ત્યારથી અમારો આત્મવિશ્વાસ બહારથી તો છલકતો હતો પણ અંદરથી કોઈ અજીબ બેચેની અનુભવાતી હતી. રેલવે સ્ટેશનથી એ મંદિર લગભગ સાડા ત્રણ કિલોમીટર દૂર, અમારા સામાન સાથે અમે ગાડીમાં ગોઠવાયા અને રસ્તામાં અમને કેટલાય અજીબોગરીબ લોકો હસતાં-રડતાં ચહેરે આવતા જતાં દેખાયા. છેવટે અમે મંદિરે પહોંચ્યા. ત્યાં ઉમટેલી સખત મેદની જોઈને જ અમે ડઘાઈ ગયા. બહારથી તો કોઈ બીજા મંદિર જેવું જ વિશાળ મંદિર, જ્યાં ભક્તોની ભીડ અને બહાર ફૂલહાર વેચતાં ફેરિયા નજરે ચઢ્યાં! પણ મંદિર બહારની એક દુકાનમાં કાળા રંગનાં લાડુ મળી રહ્યા હતા. હવે અમને થોડો ડર લાગી રહ્યો હતો અને એટલે જ એ કાળા લાડુ અમે લેવાની ના ન પાડી શક્યા. પછી ખબર પડી કે આ લાડુ ખાવા માટે નહોતા પણ અંદર સળગતી આગમાં હોમવા માટે હતા!

બહુ ડર લાગી રહ્યો હતો હવે, થોડે આગળ મંદિરનાં ગર્ભગૃહ તરફ આગળ વધતા જ અમારા પગ જાણે થંભી ગયા. અમે જે નજારો જોયો એની પ્રત્યેક ઘડી અમારા માટે ભારે પડી રહી હતી. મંદિરમાં ઘંટ કે મંત્રોચ્ચાર કરતા સ્ત્રીપુરુષોની ચીસો સંભળાઈ હી હતી. સમગ્ર વાતાવરણ ખૂબ જ તંગ હતું. એક મહારાજ કેટલીક સ્ત્રીઓનાં વાળ ખેંચી એમને રીતસર લાકડીથી ફટકારી રહ્યા તા. આજુબાજુ અનેક સ્ત્રીઓ ધૂણી રહી હતી, કેટલીક માથા પછાડી રહી હતી, તો કેટલીક સ્ત્રીઓ જાડી સાંકળ સાથે બાંધેલી હતી. ણીઓની જેમ બંધાયેલી સ્ત્રીઓ એમની સાંકળમાંથી છૂટવાનાં નિષ્ફળ પ્રયત્નો કરી રહી હતી. આ સ્ત્રીઓ ‘પઝેશ્ડ’ હતી એટલે મને વું જાણવા મળ્યું કે, એમને પાણી કે કોઈપણ પ્રકારનો ખોરાક આપવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. અમે લગભગ દસ નિટ ગર્ભગૃહમાં ગાળી હશે અને અમારા પગ ડરથી ધ્રુજી રહ્યા હતા, એ 600 સેકન્ડ્સ માટે અમને અહીં છેક મહેન્દીપુર આવવાનો પસ્તાવો થઈ રહ્યો હતો.

અહીં મંદિરમાં કોઈ પણ પ્રકારનું પ્રવાહી પીવાની કે પ્રસાદ ખાવાની મનાઈ હતી. ન તો અહીંથી કોઈ વસ્તુ લઈ જવાની પરવાનગી હતી. આ તો ઠીક અહીં કોઈની સાથે વાત પણ ન કરી શકાય, અને અહીંથી નીકળતી વખતે પાછળ ફરીને જોવાની પણ મનાઈ હતી! અમે તમને સલાહ નથી આપી શકતા કે તમે પણ જઈ આ જ અનુભવ કરો.

ઉત્તર ગુજરાતનાં ડીસા પાસે આવેલી હઝરત સૈયદ અલી મીર દાતાર દરગાહ વિશે પણ આવી જ કંઈક વાત સાંભળેલી. એક દોસ્ત પાસેથી સાંભળવા મળેલી વાત પ્રમાણે ઈસ્લામમાં પણ ‘શૈતાન’ એટલે કે ‘ઈબ્લીસ’ એટલે કે સાદી ભાષામાં ‘જીન’ જેવો ક ખ્યાલ પ્રવર્તે છે. અહીં પણ વળગાડ કાઢવાની પ્રક્રિયા થાય છે અને વિધિઓ માટે બાકાયદા સાતસોથી આઠસો રૂપિયાના ભાડા પર રૂમ રાખીને થોડા દિવસ રહેવું પડે છે, જ્યાં પીડિત સ્ત્રી કે પુરુષને સાંકળથી બાંધી દઈ ભૂવાઓ એના પર વિધિ કરી વળગાડ કાઢે છે. અહીં હિંદુ-મુસ્લિમ બંને કોમનાં બિરાદરો ‘સાજ્જા’ થવા માટે આવે છે. નીચે જમીન પર પીડિત લોકોને આળોટતા જોવા  અહીંનું બિલકુલ સામાન્ય દૃશ્ય છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર નજીક આવેલું એક ખૂબ પ્રસિદ્ધ મંદિર પણ વળગાડ કાઢવા માટે અતિ જાણીતું ગણાય છે. અહીં પણ તમને અમુક દિવસો આત્મા કાઢવાની વિધિઓ થતી જોવા મળે.

મધ્ય પ્રદેશનાં બેતુલ જિલ્લાનાં માલજપુર નામના ગામડામાં દર વર્ષે એક અનોખો મેળો ભરાય છે, જ્યાં ફક્ત વળગાડ દૂર કરવા માટે જ પીડિત લોકોને એના પરિવારજનો દૂર દૂરથી લઈ આવે છે. આ મેળો 'ભૂતમેળો’ તરીકે જ ઓળખાય છે. અહીં પણલોકો પર એક સાવરણીથી વિધિ થતી જોઈ શકાય છે. લોકોની ચીસોથી આખું વાતાવરણ ધ્રુજી ઊઠે છે. ચીસ પડતા લોકોનુંઝાટકાભેર જમીન પર ફસડાઈ પડવું, એમની હથેળીઓ પર લાકડીઓનાં સટાસટ ચાબખા પડવા જેવી બાબતો જોઈને મને કંપારી છૂટી જાય. અહીં તો ભૂવા આત્મા સાથે વાત પણ કરે છે. ભલભલાના ગાત્રો શિથિલ થઈ જાય એવા વાતાવરણમાં સવારે સાડા અગિયારે એક ‘મહામંગલ આરતી’ થાય છે. આ આરતી શરૂ થતાં જ પેલી આત્માઓ એમના કબજા હેઠળના શરીરમાંથી બહાર આવીને ભગવાનને ગાળો ભાંડે છે. પછી તરત જ પીડિત લોકોનું શરીર પોતાના કબજામાં લઈ આ આત્માઓ એને ઊંચા થાંભલા પર ચઢાવી દઈ ત્યાંથી કૂદકા મારવા મજબૂર કરી દે છે. આ સમગ્ર વાતાવરણ ભયભીત કરી મૂકે છે.

'બજરંગી ભાઈજાન' જેવી ફિલ્મોમાં આવી ચૂકેલી હઝરત નિઝામુદ્દીન દરગાહ સૌએ જોઈ જ હશે. વળગાડનાં ઉપચાર અને આત્માઓથી શરીરને છોડાવવા માટે આ દરગાહમાં એક એવી જગ્યા છે, જ્યાં તમને બહાર થી ચીસો અને રડવાના અવાજ ભળાય છે. થોડી તપાસ કરતા નામ ન દેવાની શરતે ત્યાંનાં એક મૌલવી સ્વિકારે છે કે અહીં રીતસર સાંકળ સાથે પિડિતને બાંધી રવામાં આવે છે, એને પ્રશ્નો પૂછવામાં આવે છે. લોકોની અપાર શ્રધ્ધા અને વળગાડમાં માનવાની વિચારસરણી આ બધું જ થવા દેવા માટે મજબુર કરી દે છે.

આપણે ત્યાં મોટેભાગે પ્રેગનન્સી વખતે પણ સ્ત્રીઓને મુસાફરી કરવાની કે અમુક દિવસો કે સમય પછી બહુ બહાર ન ફરવાની સલાહ અપાય છે, બાળકો પણ ‘પઝેશ્ડ’ થવા માટે સોફ્ટ ટાર્ગેટ કહેવાય છે. કોઈ આત્માનું શરીરમાં પ્રવેશવું અને હેરાન કરવું જે ભલે કોઈ મજાક લાગતી હોય પણ ક્યારેક આ સ્થળોએ જઈએ કે એના વિશે વાંચીએ અથવા યુ ટ્યુબ પર વીડિયો જોતાં જ આપણા શરીરમાંથી લખલખું પસાર થઈ જાય છે
વધુ જુઓ..

જરૂર વાંચો

America attack Venezuela - અમેરિકાએ કર્યો વેનેઝુએલા પર હુમલો, બોમ્બ ધમાકાથી કાંપી ઉઠી રાજધાની, લગાવી ઈમરજેંસી

ગિરનાર પર્વત પર દુ:ખદ ઘટના, 2500 પગથિયાની ઊંચાઈએથી નીચે પટકાતા 45 વર્ષીય યુવકનુ મોત

બાંગ્લાદેશી ખેલાડીને લઈને એક્શનમાં BCCI, KKR માંથી મુસ્તફિજુર રહેમાનને હટાવવાનો આદેશ

Tirupati News - એક વ્યક્તિ નશાની હાલતમાં મંદિરના શિખર પર ચઢીને દારૂ માંગવા લાગ્યો, પોલીસને 3 કલાક કરવી પડી મહેનત.. જુઓ VIDEO

હિમાચલ પ્રદેશ: મનાલીના પર્વતોમાં તાજી હિમવર્ષા, VIDEO માં જુઓ ખૂબસૂરત દ્રશ્ય

વધુ જુઓ..

ધર્મ

ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

Paush Purnima 2026: પોષ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવું રહે છે શુભ, ઘરમાં આવે છે ધન અને સમૃદ્ધિ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Show comments