rashifal-2026

જાણો રાજ્યના એસ.ટી. તંત્રને રોજનું એક લાખનું નુકશાન કેમ ભોગવવું પડે છે

Webdunia
શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (16:13 IST)
દાંતા અંબાજી માર્ગ ઉપર ચાલી રહેલ કામગીરીને કારણે અંબાજી થી ઉપાડતી અને  આવતી બસો વાયા હડાદ તેમજ વિરમપુર થવાને કારણે એસ. ટી. તંત્ર ને પણ મોટું નુકસાન થઈ  રહ્યું છે. જયારે લાંબા અંતરે જતા આવતા યાત્રિકો પણ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. એસ  ટી સૂત્રો ના જણાવ્યા મુજબ પ્રતિ દિન એક લાખ રૂપિયા જેટલી ખોટ તંત્ર ભોગવી રહ્યું છે. એ સાથે જ પેસેન્જરમાં પણ ત્રીસ થી પાંત્રીસ ટકા જેટલો ઘટાડો નોંધાઈ રહ્યો છે. યાત્રાધામ અંબાજીને સાંકળતો પાલનપુરથી અંબાજી વચ્ચેનો માર્ગ ચાર માર્ગિય બનાવવામાં આવી રહ્યો છે. જેનું કામ વર્તમાન સમયે પ્રગતિમાં છે. બીજી તરફ ત્રિશુળીયા ઘાટ ઉપર અવાર- નવાર થતાં જીવલેણ અકસ્માતો નિવારવા માટે પણ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ત્રિશૂળીયા ઘાટને ચાર માર્ગિય કરી ઘાટને નીચે ઉતારવા સહિતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.  ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સંદિપ સાંગલેએ તારીખ 1/1/2020 થી 31/1/2020 સુધી દાંતાથી અંબાજી વચ્ચેનો માર્ગ બંધ કરવાનો હૂકમ કર્યો છે. આ પ્રતિબંધનો ભંગ કરનારા વાહન ચાલક સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ મુજબ સજાને પાત્ર ઠરશે. જોકે, અંબાજી જવા માટે વાહન વ્યવહાર અન્ય માર્ગે ડાયવર્ટ કરાયો છે.  જેની અસર ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહારની આવક ઉપર પણ પડી રહી છે. દાંતા અંબાજી માર્ગ ઉપર ચાલી રહેલ કામગીરીને કારણે અંબાજી થી ઉપાડતી અને  આવતી બસો વાયા હડાદ તેમજ વિરમપુર થવાને કારણે એસ. ટી. તંત્ર ને પણ મોટું નુકસાન થઈ  રહ્યું છે.  જયારે લાંબા અંતરે જતા આવતા યાત્રિકો પણ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. એસ  ટી સૂત્રો ના જણાવ્યા મુજબ પ્રતિ દિન એક લાખ રૂપિયા જેટલી ખોટ તંત્ર ભોગવી રહ્યું છે. એ સાથે જ પેસેન્જરમાં પણ ત્રીસ થી પાંત્રીસ ટકા જેટલો ઘટાડો નોંધાઈ રહ્યો છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો આમળા પાવડર, મળશે ફાયદા જ ફાયદા, બીમારીઓ રહેશે દૂર

Turmeric Beauty Hacks - ફક્ત 10 રૂપિયાની હળદરથી આ બ્યુટી હેક્સ અજમાવો, તો તમારે પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચવા પડશે નહીં.

ગાજર બરફી એટલી નરમ હશે કે તમારા મોંમાં ઓગળી જશે. રેસીપી ઝડપથી નોંધી લો.

ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

વધુ જુઓ..

નવીનતમ

રાજામૌલીની 'વારાણસી'ની રિલીઝ ડેટ થઈ જાહેર, મહેશ બાબુ-પ્રિયંકા ચોપરા આ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

આગળનો લેખ
Show comments