Festival Posters

Corona Virus Effect-કોરોના વાયરસના સંક્રમણને કારણે IIMનો પદવીદાન સમારંભ રદ કરાયો

Webdunia
શુક્રવાર, 13 માર્ચ 2020 (12:26 IST)
અમદાવાદ ખાતેની આઈઆઈએમનો પદવીદાન સમારંભ આગામી 21 માર્ચે યોજાવાનો હતો પરંતુ કોરોના વાયરસના સંક્રમણને કારણે આ સમારંભ રદ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત નોવેલ કોરોના વાઇરસને લઇને સરકારે અહેવાલ જાહેર કર્યો છે. જેમાં રાજ્યમાં કોરોનાના કુલ 65 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 63 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જ્યારે અન્ય 2 રિપોર્ટ આવવના બાકી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે કોરોના વાઇરસના ખતરાને ધ્યાને રાખી છેલ્લા 14 દિવસમાં ચીન, કોરિયા, ઇટાલી, ઇરાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવેલા પ્રવાસીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકારે આઇસોલેશન વોર્ડની પણ વ્યવસ્થા કરી છે. જેમાં મેડીકલ કોલેજમાં 392 બેડ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 171 બેડ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 9 બેડ સહિત કુલ 572 આઇસોલેશન બેડ રાખવામાં આવ્યાં છે. આ સિવાય 204 જેટલા વેન્ટિલેટર બેડ રાખવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોઇ પણ વ્યક્તિને કોરોના વાઇરસની અસર જણાય તો તરત 104 નંબર ડાયલ કરવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારું પેટ રોજ સવારે સાફ નથી થતું તો ખૂબ જ અસરકારક સાબિત થશે રસોડાની આ 2 વસ્તુઓ, જાણો કેવી રીતે કરશો સેવન

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

ગુજરાતી રેસીપી- ચટાકેદાર ઉંધીયું બનાવવાની પરફેક્ટ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

નુપુર સેનને સ્ટેબિન બેન સાથે ખ્રિસ્તી લગ્ન વિધિથી લગ્ન કર્યા; સુંદર લગ્નની તસવીરો જુઓ

'વિનોદ ખન્ના સ્વર્ગમાંથી હસતા હશે': રિલીઝ થયાના 35 દિવસ પછી અભિનેત્રીએ જોઈ ધુરંધર, અક્ષય ખન્ના વિશે કહી આ વાત

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

આગળનો લેખ
Show comments