Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારે જગન્નાથ રથયાત્રાને આપી મંજૂરી, જનતા કર્ફ્યુ વચ્ચે નિકળશે રથયાત્રા

Webdunia
બુધવાર, 17 જૂન 2020 (18:01 IST)
દર વર્ષે ગુજરાતી કેલેન્ડર અનુસાર અષાઢી બીજના દિવસે આયોજિત થનારા આ ઐતિહાસિક રથયાત્રા 143મી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે દર વર્ષની માફક મુખ્યમંત્રી રથયાત્રા પહેલાં અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં સોનાની સાવરણે વડે ઝાડૂ લગાવવાની પહિંદ વિધિ કરી રથયાત્રાને રવાના કર્શે. આ વખતે 23 જૂને રથયાત્રા યોજાશે. 
 
રાજ્યના ગૃહ વિભાગે જનતા કરફ્યૂ વચ્ચે રથયાત્રા કાઢવાની મંજુરી આપી છે. રથયાત્રામાં 200થી 250 લોકો જ હાજર રહેશે. સામાન્ય લોકો લાઇવ પ્રસારણ ટીવી ચેનલો પર જોઇ શકશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત  શાહ પણ ખાસ હાજર રહેવાના છે. ગૃહવિભાગે રથયાત્રા કાઢવા માટે મંજૂરીની મ્હોર મારતા અમદાવાદ પોલીસ કમિશનરે પરમિશન આપવી પડશે તે નક્કી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં જમાલપુરના ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રા શરૂ થાય છે અને જે માર્ગ પરથી રથયાત્રા નીકળવાની છે તે વિસ્તારમાં કોરોના સંક્રમણના કેસ વધુ છે. જો રથયાત્રા કાઢવામાં આવે તો લોકો ઘરની બહાર નીકળે, લોકો દર્શન કરવા માટે આવે, રથની નજીક આવી જાય અને આ વિસ્તારમાં આવેલા મકાનોના ધાબા ઉપર મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તો વધુ સંક્રમણનો ભય રહી શકે છે. રાજ્યના ગુપ્તચર વિભાગે એવી ચેતવણી પણ આપી છે કે જો રથયાત્રા કાઢવામાં આવે તો કોરોના સંક્રમણનું પ્રમાણ વધી શકે છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments