Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vivah Panchami 2021: જાણો આ દિવસની તિથિ, મહત્વ અને પૂજા વિધિ વિશે

Webdunia
બુધવાર, 8 ડિસેમ્બર 2021 (08:28 IST)
વિવાહ પંચમી 2021 - આ હિંદુઓ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે ભગવાન રામ અને માતા સીતાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરે છે. હિંદુ કેલેન્ડર મુજબ, આ દિવસ માર્ગશિરામાં શુક્લ પક્ષની પાંચમના દિવસે આવે છે. આ દિવસે, ભક્તો એક દિવસનો ઉપવાસ કરે છે અને સુખી અને સ્વસ્થ દાંપત્યજીવન માટે ભગવાન રામ અને માતા સીતાના આશીર્વાદ મેળવે  છે. આ વર્ષે વિવાહ પંચમી 8 ડિસેમ્બર 2021ના રોજ ઉજવવામાં આવશે.
 
આ ઉપરાંત એવુ કહેવાય છે કે આ દિવસે ગોસ્વામી તુલસીદાસે રામાયણનું અવધિ સંસ્કરણ (મૂળરૂપે વાલ્મીકિ દ્વારા રચાયેલ) રામચરિતમાનસ પૂર્ણ કર્યું હતું.
 
વિવાહ પંચમી 2021: તારીખ અને શુભ સમય
 
તારીખ: 8 ડિસેમ્બર, બુધવાર
 
પંચમી તિથિ પ્રારંભ  - 07 ડિસેમ્બર, 2021 રાત્રે 11:40 વાગ્યાથી 
 
પંચમી તિથિ સમાપ્ત  - 09:25 રાત્રે 08 ડિસેમ્બર 2021 વાગ્યા સુધી 
 
વિવાહ પંચમીનું  મહત્વ
 
હિંદુ ગ્રંથો અનુસાર, માતા સીતાના પિતા રાજા જનકે તેમની પુત્રી માટે સ્વયંવરનું આયોજન કર્યું હતું, પરંતુ તેમણે માતા સીતા સાથે લગ્ન કરવા આવેલા તમામ રાજાઓ અને રાજકુમારોની સામે એક શરત મૂકી કે તેઓએ ભગવાન શિવનુ પિનાક ધનુષ ઉપાડવું પડશે.  સ્વયંવરમાં ભગવાન રામ અને તેમના નાના ભાઈ લક્ષ્મણે પણ  ભાગ લીધો હતો.
 
જેવો સ્વયંવર શરૂ થયો કોઈ રાજકુમાર કે રાજા પિનાક ધનુષ ઉપાડી શક્યા ન હતા, તેથી ગુરુ વિશ્વામિત્રએ ભગવાન શ્રી રામને ધનુષ્ય ઉપાડવાનો પ્રયાસ કરવા વિનંતી કરી. ભગવાન રામ તરત જ ઉભા થયા અને સહજતાથી ધનુષ્ય ઉપાડી લીધુ. આનાથી રાજા જનક પ્રભાવિત થયા, અને તેમણે ખુશીથી પોતાની પુત્રી સીતાના લગ્ન ભગવાન રામ સાથે કર્યા.
 
વિવાહ પંચમી 2021: પૂજા વિધિ
 
આ દિવસે, ભારત અને નેપાળમાં ભક્તો, ખાસ કરીને જનકપુરમાં, એક ભવ્ય ઉત્સવનું આયોજન કરે છે.
 
આ દિવસે ભક્તો વિશેષ પૂજા કરે છે અને સુખી અને શાંતિપૂર્ણ લગ્ન જીવન માટે આશીર્વાદ લે છે. ભગવાન રામ અને માતા સીતા પણ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રેગ્નેસી કિટ આવતા પહેલા Pregnancy વિશે કેવી રીતે જાણી શકાતુ હતુ, જવ અને ઘઉથી પણ કરવામાં આવતો હતો ટેસ્ટ

આ 3 રીતે બનાવો લીલા ધાણાની ચટણી

Blouse Hacks -આ ટિપ્સ વડે માર્જિન વિના ટાઈટ બ્લાઉઝની ફિટિંગ ઠીક કરો, 6 સ્માર્ટ જુગાડ જોઈને તમે ખુશ થઈ જશો

ખેડૂત અને સાધુ મહાત્મા

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

વધુ જુઓ..

નવીનતમ

નંદીના કાનમાં કેમ કહેવી જોઈએ તમારી મનોકામના ? જાણો આની પાછળની પૌરાણિક કથા

આગામી કુંભ મેળો ક્યાં અને ક્યારે યોજાશે? આ રાજ્યની સરકાર અત્યારથી જ તૈયારીઓમાં વ્યસ્ત છે

બ્રજમાં 40 દિવસ સુધી ફાગ તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે?

મહાકુંભ 65 કરોડનો આંકડો પાર

Mahashivratri Upay: આજે મહાશિવરાત્રીના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાયો, મહાદેવ તમારી ઝોળી ખુશીઓથી ભરી દેશે

આગળનો લેખ
Show comments