Webdunia - Bharat's app for daily news and videos

Install App

વટ પૂર્ણિમા વ્રત કેવી રીતે કરશો જાણો પૂજા વિધિ

Webdunia
રવિવાર, 29 મે 2022 (15:41 IST)
Vat purnima Vrat puja vidhi- વટ પૂર્ણિમાની પૂજા કરવાની વિધિ વિશે માહિતી.. વટ સાવિત્રી વ્રતનુ મહત્વ કરવા ચોથ વ્રત જેવુ જ હોય છે.  વટ સાવિત્રીના વ્રતમાં અનેક લોકો 3 દિવસનો ઉપવાસ રાખે છે. 3 દિવસ જમ્યા વગર રહેવુ 
મુશ્કેલ છે તેથી પહેલા દિવએ રાત્રે જમી લે છે.  બીજા દિવસે ફળ ખાય છે અને ત્રીજા દિવએ આખો દિવસ વ્રત રાખે છે.  રાત્રે પૂજા પછી વ્રત પુર્ણ થાય છે.   સ્ત્રીઓ આ દિવસે સોળ શણગાર કરે છે.  
આવો જાણીએ વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરશો તેની માહિતી..  
 
1. આ પૂજા કરનારી સ્ત્રીઓ સૌ પહેલા પૂજાવાળા દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી શુદ્ધ થઈ જાય છે અને ત્યારબાદ નવા વસ્ત્રો અને આભૂષણો ધારણ કરે છે  
 
2. બધી સ્ત્રીઓ આ દિવસે 3 દિવસ પહેલા જ ઉપવાસ કરે છે પણ અનેક લોકો ફક્ત વટ સાવિત્રીવાલા દિવસે જ ઉપવાસ કરે છે. અને પૂજા પછી ભોજન ગ્રહણ કરે છે  
 
3. આ પૂજા વડ વૃક્ષની નીચે થાય છે તેથી વૃક્ષ નીચે એક સ્થાનને સારી રીતે સાફ કરો ત્યા બધી જરૂરી પૂજન સામગ્રીઓ મુકી દો 
 
4.  ત્યારબાદ સત્યાવાન અને સાવિત્રીની મૂર્તિયો કાઢીને તેને પણ વડ વૃક્ષની જડમાં સ્થાપિત કરો. આ મૂર્તિઓને લાલ વસ્ત્ર પહેરાવો  
 
5  એક વાંસની ટોકરી લો તેમા સાત પ્રકારના અનાજ મુકો જેને કપડાના 2 ટુકડાથી ઢાંકી દો 
 
6. એક બીજી વાંસની ટોકરીમાં દેવી સાવિત્રીની પ્રતિમા મુકો. સાથે જ ધૂપ દીપ કુમકુમ ચોખા કંકુ વગેરે પૂજાની સામગ્રી મુકો  
 
7. હવે વડ વૃક્ષમાં પાણી ચઢાવીને કુમકુમ ચોખા ચઢાવો સાથે જ દેવી સાવિત્રીની પૂજા પણ કરો 
 
8. ત્યારબાદ વાંસથી બનેલા પંખાથી સત્યાવાન અને સાવિત્રીની મૂર્તિને હવા કરો. સ્ત્રીઓ વૃક્ષના એક પાનને વાળમાં પણ લગાવે છે. 
 
9.ત્યારબાદ સાચા મનથી પ્રાર્થના કરો અને લાલ દોરો કે સૂતરનો દોરો લઈને વટ વૃક્ષની ચાર બાજુ ફરતા તેને વટ વૃક્ષને બાંધતા 7 ફેરા લો   
 
10 ત્યારબાદ કોઈ પંડિત પાસેથી સત્યવાન અને સાવિત્રીની વ્રતની કથા સાંભળો. કથા સમાપ્ત થયા પછી કથા સંભળાવનાર પંડિતજીને તમારા સામર્થ્ય મુજબ દક્ષિણા આપો  
 
11. ત્યારબાદ બ્રાહ્મણ અને ગરીબને દાન કરો. ચણા ગોળનો પ્રસાદ સૌને વહેંચો 
 
12. ઘરે આવીને બધા વડીલોને પગે પડીને સદા સુહાગન રહેવાનો આશીર્વાદ મેળવો સાંજે પરિવાર સહિત મિષ્ટાન્ન સહિત ભોજન કરીને તમારુ વ્રત ખોલો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments